ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં ‘સરોગસીના કાનૂની, નૈતિક અને વ્યવહારુ પાસાઓ‘ પર ચર્ચાનું આયોજન કરાયું હતું. આ ચર્ચામાં વેસ્ટ બંગાળ નેશનલ યુનિવર્સિટી ઓફ જ્યુરિડિકલ સાયન્સ કોલકાતાના કાયદા પ્રોફેસર ડૉ.સંદીપા ભટે કહ્યું કે, ૨૦૧૨માં ભારતમાં સરોગસી ઉદ્યોગનું કદ આશરે ૨.૫ બિલિયન અમેરિકન ડૉલરનું હતું. વ્યાપારી સરોગસી પર પ્રતિબંધ મુકતા હાલના કાયદાને બદલે વ્યાપારી સરોગસી પ્રેક્ટિસને નિયંત્રિત કરવા અને તેનું યોગ્ય સંચાલન કરવા માટે વ્યાપક કાયદાની જરૃરિયાત પર ભાર મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં એડવોકેટ ઓન રેકોર્ડ મોહિની પ્રિયાએ કહ્યું કે, પ્રજનન એ માનવીય સહજ વૃત્તિ છે અને વંધ્યત્વના ગંભીર પરિણામો છે. વંધ્ય યુલગો ખાસ કરીને સ્ત્રીઓ ઘણીવાર હિંસા, છૂટાછેડા, હતાશા, ચિંતા અને આત્મસન્માન જેવી નકારાત્મક સામાજિક અસરો સહન કરવી પડે છે.
Advertisement
Advertisement
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તાજેતરના અહેવાલ મુજબ વિશ્વમાં ૧૭.૫ પુખ્ય વસ્તી એટલે કે દર છ માંથી એક વ્યકિત વંધ્યત્વથી પીડાય છે જે ઘણી વિકટ સ્થિતિ કહી શકાય છે. કાયદો પરોપકારી સરોગસીની પરવાનગી આપે છે પરંતુ વ્યાપારી સરોગસીને પ્રતિબંધ કરે છે. જાણીતા સરોગસી નિષ્ણાત ડૉ.નયના પટેલે સરોગસી એક્ટની ભેદભાવપૂર્ણ જોગવાઇઓ અંગે ચિંતા વ્યકત કરી હતી અને કહ્યું કે, સરોગસીમાં રહેલી અસંખ્ય અસ્પષ્ટતા અને વિસંગતતાઓને સંબોધિત કરવી આવશ્યક છે. આ અધિનિયમ વંધ્ય યુગલો, વિધવા, છૂટેછેડા લીધેલ એકલ મહિલાઓને સરોગસી પસંદ કરવાની પરવાનગી આપે છે પરંતુ તે એકલા પુરુષો, અવિવાહિત એવી એકલી મહિલા, લિવ-ઇન કપલ્સ અને ટ્રાન્સજેન્ડર લોકોને સરોગેટ બાળકની તકમાંથી બાકાત રાખે છે.
Advertisement