અંબાજીઃ અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન ગ્રાહકોના હિત માટે લડતી સંસ્થા છે. અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનના ગુજરાત એકમ દ્વારા અંબાજી ખાતે ગ્રાહક ઉડાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 મે 2023ના રોજ અંબાજી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્ર્ય અધ્યક્ષ હરિશંકર શુક્લ, ગુજરાત પ્રદેશ પ્રમુખ જેઠાભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
રાષ્ટ્રીય અધ્યક્ષ હરિશંકર શુક્લને કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને સંબોધતા જણાવ્યું હતું કે ઉપભોક્તા કોઈ વેપારી, વ્યક્તિ દ્વારા અપનાવેલા અવરોધક-અનુચિત વ્યાપારિક વ્યવહારો તથા ખરીદેલી કોઇ દોસ્તપૂર્ણ વસ્તુ અથવા ખામીપૂર્ણ સેવાઓ સામે કન્ઝુમર કોર્ટમાં ફરિયાદ નોંધાવી શકે છે. ફરિયાદ સામાન્ય રીતે એ તારીખથી બે વર્ષની અંદર નોંધાવવી પડે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉપભોક્તા આંદોલન એવું સામાજિક આર્થિક આંદોલન છે જેમાં ખરીદેલી વસ્તુઓ અને પ્રાપ્ત સેવાઓના સંદર્ભમાં ઉપભોક્તાના અધિકારોની રક્ષાની વાત કરવામાં આવે છે. સરકારે પણ ઉપભોક્તા સંરક્ષણના કાર્યક્રમોને પણ ઉચ્ચ પ્રાથમિક્તા આપી છે. દરેક વ્યક્તિ ગ્રાહક છે અને પોતાનો સંરક્ષિત હક પ્રાપ્ત કરવો તેનો હક અધિકાર છે. તેને દરેક સ્થિતિમાં લેવો જોઇએ. અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનનો ધ્યેય નીતિ સિદ્ધાંત અનેદેશમાં આર્થિક પરિવર્તનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા હેતું લોકોને એકત્ર કરીને રાષ્ટ્રોત્થાનની ભાવનાથી તેમને પ્રેરિત કરી લોક સંગ્રહ કરવાનો છે.
અંબાજી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનના ગાંધીનગર જિલ્લાના પ્રમુખ રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અત્યારે છાસવારે ગ્રાહકો ક્યાંકના ક્યાંક કોઈપણ રીતે છેતરાઈ રહ્યા છે. આ સંસ્થા ગ્રાહકોમાં પોતાના હકો અને અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરી રહી છે. એટલું જ નહીં ગ્રાહકોના હકો અને અધિકારો માટે લડવાનું પણ કામ કરે છે. કોઇપણ ગ્રાહકે પોતાની સાથે થયેલા અન્યાય સામે બેકોફ અવાજ ઉઠાવવો જોઈએ.
રાજેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ખાદ્ય અને પ્રવાહી પદાર્થોમાં થઇ રહેલી મિલાવટને અટકાવવા માટે સંગઠન શુદ્ધ કે લિયે યુદ્ધ અભિયાન કાર્યક્રમ આયોજીત કરી રહી છે. જેમાં સંગઠનના પદાધિકારીઓને સેમ્પલ લેવા પંચનામું કરવા માટે પ્રશિક્ષણ કરવામાં આવી રહ્યા છે. જેનાથી ગ્રાઉન્ડ લેવલ પર મિલાવટ રોકવા માટે સહાયક સાબિત થશે. સ્કૂલો અને કોલેજોમાં છાત્ર ઉપભોક્તા ક્લબની રચના કરીને ઉપભોક્તા સંરક્ષણની જાણકારી આપવામાં આવી રહી છે.
Advertisement