તારીખ 19મીના રોજ જ્યારે રિઝર્વ બેંકે 2000ની નોટો પાછી ખેંચી ત્યારથી જેમની પાસે અતિરિક્ત નોટો છે તેમણે ગોલ્ડ માર્કેટ, સગાવ્હાલાની મદદ અને રિઅલ એસ્ટેટના રસ્તા અપનાવવાના શરુ કરી દીધા છે. પરંતુ હાલમાં ઉનાળાની ઋુતુમાં જેમની પાસે 2000ની નોટો વધારે છે તેવા લોકોએ આ પૈસાને સીધા બજારમાં વાપરવાનું નક્કી કરી દીધું છે. આ માટે તેઓ ટુર ઓપરેટરોનો ઉપયોગ પણ કરી રહ્યા છે.
Advertisement
Advertisement
હાલમાં ગરમીને કારણે ઉત્તર ભારતના અનેક ડેસ્ટિનેશન હાઈ ડિમાન્ડ પર છે. આવા સમયે ટૂર ઓપરેટરોને ટૂરમાં જનારા લોકોને ધસારો વધી રહ્યો છે.
કેટલાંક ટૂર ઓપરેટરોએ જણાવ્યું હતું કે હાલમાં 2000ની નોટ પાછી ખેંચાવાના કારણે ઘણાં એવી ઇન્કવાયરી કરી રહ્યા છે કે શું તમે 2000ની નોટો લેશો તો અમે આવીએ.
જે ટૂર ઓપરેટરોનો ધંધો સીઝન પૂરી થવા પર નબળો ચાલી રહ્યો છે તેમને પણ ઇન્કવાયરીનો રાફડો ફાટ્યો છે અને કોઈપણ પ્રકારના નેગોશિએશન વગર 2000ની નોટ લેવાની શર્તે લોકો પ્રવાસ કરવા જવાની તૈયારી બતાવી રહ્યા છે.
અત્યાર સુધી નોટબંધી પછી રિઅલ એસ્ટેટ અને ગોલ્ડ બજાર નોટ વટાવાના મુખ્ય ડેસ્ટિનેશન રહ્યા છે પરંતુ આ પછી હવે રોકડીયા લોકો પોતાની નોટો વટાવવા માટે ટૂર ઓપરેટરોનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ટૂર ઓપરેટરો થકી એર લાઈન્સ અને હોટેલ ઈન્ડસ્ટ્રીમાં પણ આંશિક તેજી આવી છે.
ઉત્તર ભારતના ડેસ્ટિનેશનમાં પણ લોકો વધારે કેશનો ઉપયોગ કરી રહ્યા હોય એવું વર્તાય છે.
નોટબંધી પછીના આ દૌરમાં સગાવ્હાલાના ઉપયોગ વ્યાપક છે. સામે રિઝર્વ બેંક દ્વારા નોટ બદલવાના નિયમો હળવા કરાતા આ સમગ્ર પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે.
Advertisement