અમદાવાદ, સાત વર્ષ પછી રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દીપડા અને અન્ય માંસાહારી અને શાકાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ ગણતરીમાં જરખ, વરુ, જંગલી બિલાડી, હેણોતરો અને શિયાળનો સમાવેશ કરવામાં આવ્યો છે. 5મી મે અે મહિના છેલ્લા ત્રણ દિવસ આ ગણતરી કરવામાં આવશે.
Advertisement
Advertisement
જ્યારે શાકાહારી પ્રાણીઓ જેવા કે ચૌસિંગા, ચિંકારા, ચિતલ, કાળીયાર, નીલગાઈ જેવા શાકાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી 8મી મેના રોજ યોજાશે. જો કે વન વિભાગે આપેલી માહિતી અનુસાર હેણોતરો અને જરખની ગણતરી વીસ વર્ષ પછી કરવામાં આવી રહી છે. દીપડાની છેલ્લી ગણતરી 2016માં કરવામાં આવી હતી જે અનુસાર ગુજરાતમાં 1395 દીપડા છે જે 2011ની ગણતરી કરતાં 20.25 ટકા વધારે છે. જ્યારે મધ્યપ્રદેશમાં 1817 દીપડાઓ છે. છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી તે અનુસાર ગુજરાતમાં 1160 દીપડાઓ હતા. જ્યારે વેળાવદરમાં કાળીયારની વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે 5069 જેટલાં કાળીયાર નોંધાયા હતા. આ વખતે ભાવનગર ઉપરાંત બોટાદ જિલ્લાના કેટલાક ભાગોને પણ સાંકળવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ગણતરી ડાયરેક્ટ સાઈટિંગ સિસ્ટમથી કરવામાં આવશે. જેમાં બ્લોક પ્રમાણે કાઉન્ટ કરવામાં આવશે. આ કામ માટે સ્થાનિક લોકોની પણ મદદ લેવામાં આવશે અને એક પણ રહેણાંક રહી ન જાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. વન વિભાગે પ્રાણી ગણતરી માટે પ્રિન્સિપલ ચીફ કન્સર્વેટોર ઓફ ફોરેસ્ટની એક કમિટી બનાવી છે જે અંતર્ગત 14મી મે સુધી તમામ માહિતી જંગલ વિભાગને સુપ્રત કરવામાં આવશે અને તે 6 જૂનના રોજ રિપોર્ટ પ્રસ્તુત કરવામાં આવશે.
આ ગણતરીમાં સિંહની ગણતરીને બાકાત એટલે રાખવામાં આવી છે કારણ કે ગુજરાતનું ગૌરવ ગણાંતા સિંહની ગણતરી અલગથી કરવામાં આવે છે. વળી સિંહની ગણતરીની સિસ્ટમ પણ અલગ છે. સિંહ સિવાયના જે માંસાહારી અને શાકાહારી પ્રાણીઓ છે તેમના માટે આ ગણતરી રાખવામાં આવી છે.
હાલમાં ગીરના જંગલમાં 44000થી પણ વધુ ચિતલ હરણ વસવાટ કરે છે.
Advertisement