ગ્લોબલ વોમગની અસરથી વિસરાતી જતી કેરીના જાતોને નવજીવન મળે અને ખેડૂતો કેરીના વૃક્ષને ઉછેર કરતા થાય તે માટે નવસારી કૃષિ યુનિવસટી દ્વારા કેરીની દુર્લભ જાતો માટે હરીફાઈ અને પ્રદર્શન યોજ્યું છે. બદલાયેલું વાતાવરણ ખેતીના વ્યવસાય માટે દિવસે જોખમ ઊભું કરી રહ્યું છે જેને કારણે સીધી અસર ખેતપેદાશ પર થાય છે.
Advertisement
Advertisement
હાલમાં ઉનાળામાં કેરીની સીઝન જોરમાં હોય છે. પરંતુ બદલાયેલા વાતાવરણની અસરથી આંબાપાક પણ બચી શક્યો નથી ત્યારે ગ્લોબલ વોમગ સામે ઝીંક ઝીલી શકે અને કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ગુણવત્તા યુક્ત ઉત્પાદન આપી શકે એવી કેરીનું જાતને ખેડૂત અપનાવે અને વાવે તેવા હેતુથી નવસારી કૃષિ યુનિવસટી દ્વારા સેન્ટ્રલ એક્ઝામિનેશન હોલ બહાર કેરી હરીફાઈ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનમાં કુલ ૧૪૬ પ્રકારની કેરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સહિત નવસારી કૃષિ યુનિવસટીમાં પોતીકી ૯૧ કેરી અને વિદેશી બ્રાન્ડની ૮ કેરીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈના હાથે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ૪૦ હજાર હેક્ટરમાં આંબાપાક થાય છે. હાલમાં બદલાયેલા વાતાવરણ સામે કેસર કેરી સારું ઉત્પાદન અને વળતર આપે છે જેથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના ખેડૂતો કેસર તરફ વળ્યા છે પરંતુ પરંપરાગત દેશી આંબાજાતોને લઈને ખેડૂતો જાગૃત થાય અને માહિતી મેળવે તે માટે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ રહ્યો છે.
લુપ્ત થતી કેરીની વેરાઈટીને નવજીવન મળે અને તેને ખેડૂતો વાવે તે માટે ખેડૂતોનો એક સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રદર્શન અને હરિફાઈ માં અલગ અલગ ગુણધર્મ ધરાવતી કેરી જેવી કે રંગ, આકાર, સ્વાદ અને આકર્ષતા નામ ધરાવતી કેરીને નવસારી જિલ્લાના ખેડૂતો અને નગરજનો એ નિહાળી હતી.
ખેડૂતોએ આ પ્રદર્શનમાં વહેલો પાક કઈ રીતે લેવાય અને વાતાવરણમાં ફેરબદલ આવે ત્યારે શું શું કાળજી લેવી તેને લઈને કૃષિ વૈજ્ઞાાનિકો પાસેથી માહિતી મેળવી હતી નવસારી કૃષિ યુનિવસટી સમગ્ર રાજ્યના ખેડૂતો માટે આશીર્વાદરૃપ સમાન સાબિત થઈ છે. અવારનવાર ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપી ભૂલાયેલા પાકને સજીવન કરવા કૃષિ યુનિવસટી હંમેશા તત્પર રહી છે.
Advertisement