વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ નેટ પ્રેક્ટિસ કરતી વખતે રોહિતને ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. તે પછી તે પ્રેક્ટિસ માટે ગયા ન હતા. જોકે ઈજા બહુ ગંભીર નથી.
Advertisement
Advertisement
મેચ પહેલા રોહિત શર્માએ કહ્યું કે હું ટેસ્ટ અને ચેમ્પિયનશિપ જીતવા માંગુ છું. આપણે તેના માટે જ રમતા હોઈએ છીએ. જો કે આ દરમિયાન રોહિતે પોતાને થયેલી ઈજા વિશે કોઈ વાત કરી ન હતી. WTCની ફાઈનલ 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ કહ્યું, ‘ભારતીય ટેસ્ટ ટીમે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર બે વખત હરાવીને સન્માન મેળવ્યું છે, તેથી હવે ટીમ ઈન્ડિયાને ટેસ્ટ ટીમ તરીકે હળવાશથી ન લઈ શકાય નહીં.’
T20 વર્લ્ડ કપમાં સેમીફાઈનલ પહેલા રોહિતને ઈજા થઈ હતી
અગાઉ રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપ દરમિયાન પણ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઈજા 8 નવેમ્બર 2022ના રોજ નેટ્સ દરમિયાન થઈ હતી, એટલે કે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચના બે દિવસ પહેલા આ ઈજા થઈ હતી. 150 કિમીની ઝડપે ફેંકાયેલો બોલ રોહિતના કાંડા પર વાગ્યો અને તે તરત જ તેના કાંડાને પકડીને નેટમાંથી બહાર નીકળી ગયો. લગભગ 40 મિનિટ પછી પાછો આવ્યો અને બેટિંગ કરી. જો કે રોહિત સેમીફાઈનલ મેચ રમ્યો હતો અને તેણે 27 રનની ઇનિંગ રમી હતી. ભારત આ મેચ 10 વિકેટે હારી ગયું હતું.
આવતીકાલે બુધવારથી ઓવલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTC ફાઇનલ રમાશે. અગાઉ આ વર્ષે માર્ચમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું.
Advertisement