कहीं पे निगाहें कहीं पे निशाना
Advertisement
Advertisement
ગુજરાત એક્સક્લૂઝિવ: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણી નોટો પર લક્ષ્મી અને ગણેશના ફોટો લગાવવાની માંગ કરી છે.
હિન્દૂ દેવી દેવતાઓની તસવીરોને ચલણી નોટ પર છાપવાની માંગને લઇને બુધવારે કેજરીવાલે એક પ્રેસ કોન્ફ્રન્સ બોલાવી હતી.
કેજરીવાલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, “હું તેવું કહેતો નથી કે બધી જ નોટો બદલી નાંખવામાં આવે, પરંતુ જે પણ નવી નોટ છાપવામાં આવે તેના પર શરૂઆત કરવામાં આવે.” અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પાસે આની માંગ કરી છે.
કેજરીવાલે કહ્યું, “અમે બધા ઈચ્છીએ છીએ કે ભારત એક અમીર દેશ બને. ભારતનો દરેક પરિવાર અમીર પરિવાર બને. તે માટે ઘણા બધા પગલા ભરવાની જરૂરત છે. પરંતુ તે બધા જ નિર્ણય ત્યારે જ સફળ થાય છે, જ્યારે આપણા ઉપર આપણા દેવી-દેવતાઓના આશીર્વાદ હોય છે.”
આનાથી પહેલા હિન્દૂત્વના મુદ્દા પર ઉઠેલા એક વિવાદ પછી દિલ્હી સરકારના એક મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું. આ મહિના એટલે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં એક કાર્યક્રમને લઇને મોટો વિવાદ ઉભો થયો હતો.
દિલ્હી સરકારના મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમ બૌદ્ધના એક કાર્યક્રમમાં કેટલીક પ્રતિજ્ઞાઓ દોહરાવી હતી. કથિત રીતે તેમાં હિન્દૂ દેવી-દેવાતીઓની પૂજા ન કરવાની શપથ સામેલ હતી.
આને લઈને બીજેપીએ અરવિંદ કેજરીવાલ પર અનેક આરોપ લગાવ્યા હતા. સમાચારો અનુસાર કેજરીવાલે પોતાના મંત્રીથી ખુબ જ નારાજ થયા. પાછળથી મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે નવ ઓક્ટોબરે રાજીનામું આપી દીધું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ બન્યા પછી કેજરીવાલનું હિન્દુત્વ સતત સમાચારોમાં ચમકી રહ્યું છે. તો બીજી તરફ બીજેપી કેજરીવાલને મારીને મુસ્લમાન બનાવવાની કોશિશમાં છે. એક વખત તો કેજરીવાલને ટોપી પહેરાવી દીધી હતી.
હિન્દૂવાદી છબિ બનાવવાની કેજરીવાલની કોશિશ
ગુજરાતના પ્રવાસ પર આઠ ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલે વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું હતું, “હું એક ધાર્મિક આદમી છું, હનુમાન જીનો કટ્ટર ભક્ત છું. હનુમાનજીની અસીમ કૃપા છે મારા ઉપર. બધી જ આસુરી શક્તિઓ મારા વિરૂદ્ધ એક થઇ ગઇ છે.”
કેજરીવાલે કહ્યું હતુ, “આ બધા લોકો કંસના વંશજ છે, ભગવાનનું અપમાન કરે છે, ભક્તોનું અપમાન કરે છે. હું તેમને બતાવવા ઈચ્છી રહ્યો છું મારૂ જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. મને ભગવાને એક સ્પેશ્યલ કામ લઇને મોકલ્યો છે… આ કંસના વંશજનો નાશ કરવા માટે, તેમનો સફાયો કરવા માટે”
ગુજરાતમાં ગાયોને લઈને પણ અરવિંદ કેજરીવાલ નિવેદન આપી ચૂક્યા છે. તેમનું કહેવું હતું કે, અમે લોકો ગાયને પોતાની માતા માનીએ છીએ, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે તો દરેક ગાયની સારી દેખ-રેખ રાખશે. દરેક ગાય સાળસંભાળ માટે અમે લોકો 40 રૂપિયા પ્રતિ દિવસના હિસાબથી પૈસા આપીશું.
પાછલા કેટલાક સમયથી ગુજરાત યાત્રા દરમિયાન કેજરીવાલ હિન્દૂવાદી વેશભૂષામાં સોમનાથ મંદિરના દર્શન કરવા પણ પહોંચી ચૂક્યાછે. તે ઉપરાંત ગુજરાતમાં દ્વારકધીશ મંદિર અને સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર પણ જઇ આવ્યા છે.
એટલે ગુજરાત ચૂંટણી અભિયાનમાં કેજરીવાલનો એક અલગ જ રૂપ જોવા મળી રહ્યું છે, જે સામાન્ય રીતે દિલ્હી ચૂંટણીથી ખુબ જ અલગ છે. ગુજરાતમાં કેજરીવાલ એક હિન્દૂવાદી નેતાની છબિ બનાવતા દેખાઇ રહ્યાં છે.
શું બીજેપીને ટક્કર આપવા માટે બનાવી છે રણનીતિ
પ્રશ્ન ઉઠે છે કે દિલ્હીમાં દલિત, મુસ્લિમ અને લઘુમતીઓની વાત કરનારા કેજરીવાલનો ગુજરાતમાં અલગ કેમ દેખાઇ રહ્યો છે. શું તેઓ હિન્દૂત્વની મદદથી બીજેપી સામે લડવાની તૈયારી કરી રહ્યાં છે.
અરવિંદ કેજરીવાલની રણનીતિ પર નજર રાખનાર વરિષ્ઠ પત્રકાર પ્રમોશ જોશી કહ છે કે, એવું નથી કે, આ બધુ હાલમાં જ શરૂ થયું છે. આંદોલન દરમિયાન પણ જ્યારે કેજરીવાલનો મંચ બનતો હતો ત્યારે તેના પર પણ ભારત માતાની તસવીર લગાવવામાં આવતી હતી.
કેજરીવાલ પાછલા વર્ષે દિવાળીની પૂજાનું ટીવી પર પ્રસારણ કરી ચૂક્યા છે. જોકે, તેઓ સ્પોન્સર્ડ પ્રોગ્રામ હતો. અરવિંદ કેજરીવાલ અયોધ્યા અને બનારસણાં પણ હિન્દૂત્વવાદૂ રૂપમાં નજર આવી ચૂક્યા છે.
જોકે, હાલના દિવસોમાં તેમનું હિન્દૂત્વવાદી રૂપ વધારે પ્રમાણમાં ઉભરીને સામે આવ્યું છે. જો એવું છે તો બીજેપી અને કેજરીવાલના હિન્દુત્વમાં શું અંતર છે?
પ્રમોદ જોશી માને છે કે હિન્દુત્વને લઈને બીજેપીની વિચારધારા સ્વંત્રતા આંદોલનથી ચાલી રહી છે. તે ખુબ જ વ્યાપક છે જેને આરએસએસ ચલાવી રહ્યું છે. જ્યારે કેજરીવાલનું હિન્દુત્વ વિચારધારા વગરની છે.
ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસ બે મોટી પાર્ટીઓ છે. જોશી અનુસાર, ગુજરાતમાં વડાપ્રધાને મુફ્તની રેવડીઓની વાત કરીને પોતે ત્યાં આમ આદમી પાર્ટી માટે એક જગ્યા બનાવી દીધી છે.
કેજરીવાલની રાજનીતિ
તેમના અનુસાર, બની શકે છે કે આના પાછળનો હેતુ હોય કે જો કેજરીવાલ ગુજરાતમાં થોડા શક્તિશાળી બની જાય તો બીજેપી વિરોધી વોટમાં સેંઘ લાગી શકે છે.
આનો અર્થ તે છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં જેટલા પણ વોટ મેળવશે તેનાથી કોંગ્રેસને તેટલો જ વધારે નુકશાન થશે અને આનો ફાયદો બીજેપીને મળશે.
અરવિંદ કેજરીવાલ રામ અને કૃષ્ણની વાત કરે છે. હવે હિન્દૂ દેવી-દેવતાઓની તસવીર નોટ પર લગાવવાની વાત કરીને શું તેઓ મોટા સ્તર પર પોતાની એક નવી છબિ બનાવવાની કોશિશ કરી રહ્યાં છે, જેથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેમનું આ સ્વરૂપ બનેલું રહી શકે.
જોશી માને છે કે, જ્યાંથી પણ વોટ મળે ત્યાંથી મેળવી લેવાની અરવિંદ કેજરીવાલની કોશિશ છે. તેઓ ક્યારેક રાષ્ટ્રવાદને મુદ્દો બનાવે છે, તો ક્યારેક પાકિસ્તાનની વાત કરે છે, તો ક્યારેક ધર્મનિરપેક્ષતાની વાત કરે છે તો ક્યારેક ભ્રષ્ટાચાર-શિક્ષણને મુદ્દો બનાવે છે.
વિરોધીઓના નિશાના પર કેજરીવાલ
અરવિંદ કેજરીવાલની આ માંગ પછી બેજીપી એક વખત ફરીથી તેમના પર હુમલાઓ કરી રહી છે. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં જાહેરાત પોલીસી ચલાવી રાખી છે. કામ ઓછું અને દેખાવો વધારે થઈ રહ્યો છે અને તેનો ઠિકરો લક્ષ્મી અને ગણેશ પર ફોડી રહ્યાં છે. તે અલગ વાત છે કે મોદી રાજ પણ મીડિયામાં ચાલતી તેમની જાહેરાતોથી જ ઠકી રહ્યું છે.
કેજરીવાલની આ માંગ પછી કોંગ્રેસે એક વખત ફરીથી તેમને બીજેપીની બી ટીમ હોવાનો આરોપ લગાવ્યો છે.
Advertisement