ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી (Lakhimpur Kheri)માં 14 સપ્ટેમ્બર 2022ના દિવસે બે બહેનો (Minor Girls Killed)ની સંદિગ્ધ સ્થિતિમાં મોતની ઘટના સામે આવી હતી. બંને મૃતદેહો વૃક્ષ ઉપર લટકેલા મળ્યા હતા. ઘટનાના ઠિક એક દિવસ પછી પોલીસે મોત પાછળનું કારણ અને હત્યારાઓને પકડવાનો દાવો કર્યો છે. પોલીસ અનુસાર બે આરોપીઓએ પોતાનો ગુન્હો કબૂલ કર્યો છે. અને 6 આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પરંતુ આ આખા મામલામાં પોલીસ અને મૃતક છોકરીઓની માંના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
Advertisement
Advertisement
પોલીસ શું કહી રહી છે?
અસલમાં આ ઘટના લખીમપુર ખીરીના નિધાસન વિસ્તારની છે. છોકરીઓની ઉંમર 15 અને 17 વર્ષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસનું કહેવું છે કે આરોપી પહેલાથી જ મૃતક છોકરીઓને જાણતો હતો. પોલીસ અનુસાર છોટૂ નામના એક છોકરીઓની ઓળખ સોહેલ અને જૂનૈદ નામના છોકરાઓ સાથે કરાવી હતી.
લખીમપુરના SP સંજીવ સુમને પ્રેસ કોન્ફ્રન્સ કરીને જણાવ્યું- “બપોરના સમયે બે છોકરાઓ બાઈક લઈને આવ્યા અને બંને છોકરીઓને ફોસલાવીને લઈ ગયા. જ્યાં છોકરીઓની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બનાવ્યા. છોકરીઓએ લગ્નની વાત કરી અને લગ્ન કરવાની જીદ કરવા લાગી અને કહ્યું કે અમારે લગ્ન કરવા છે. જેથી છોકરાઓએ ગળું દબાવીને તેમની હત્યા કરી દીધી. તે પછી અન્ય બે છોકરાઓને ફોન કરીને બોલાવવામાં આવ્યા. આ છોકરાઓ લાલપુરના છે. કુલ પાંચ લોકોએ પુરાવાઓ નષ્ટ કરવા માટે છોકરીઓને ફંદા પર લટકાવી દીધી.”
SPની પ્રેસ કોન્ફ્રન્સમાં કહેવામાં આવ્યું- “હાલમાં જ દોસ્તી થઈ હતી, છોકરીઓને ફોસલાવીને લઈ જવામાં આવી હતી. છોકરીઓને ખેતરમાં લઈ જવામાં આવી અને જ્યાં તેમની ઈચ્છા વિરૂદ્ધ શારીરિક સંબંધ બનાવવામાં આવ્યા. તે પછીની તપાસ ચાલી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી અન્ય વાતો સામે આવશે.”
મૃતકની માંએ કહ્યું- પુત્રીઓને ઘરથી ઉઠાવીને લઈ ગયા
જ્યારે મૃતક છોકરીઓની માંએ મૃતદેહ મળ્યા પછી જણાવ્યું કે તેમની પુત્રીઓને બળજબરીપૂર્વક લોકો ઉઠાવીને લઈ ગયા હતા. મૃતકની માંએ આરોપ લગાવ્યો કે બાજુંના ગામના ત્રણ યુવકો મોટરસાઈકલ પર આવ્યા હતા અને તેમને બંને બહેનોને બળજબરીપૂર્વક ઉઠાવી લીધી હતી.
માંએ કહ્યું- “મારી સામે જ મારી પુત્રીઓને ઉઠાવીને લઈ ગયા છે, મારા પાસેથી છીનવીને લઈ ગયા. મારી પુત્રીઓ તેમની મરજીથી ગઈ નહતી, પોતાની મરજીથી ગઈ હોત તો જીવતી હોત”
માંએ જણાવ્યું કે- “ગામના જ એક છોકરા સાથે ત્રણ અન્ય છોકરાઓ જેઓ મારા સામે આવતા હું તેમને ઓળખી જઈશ, જેઓ મારા ઘરે અચાનક આવ્યા અને ઘરમાં ઘૂસીને મારી પુત્રીઓને બળજબરીપૂર્વક ઉઠાવવા લાગ્યા અને મેં પ્રતિકાર કર્યો તો મને પણ લાત મારીને રોકી દેવામાં આવી હતી. તેમના સાથી બંને પુત્રીઓને પકડીને મોટર સાઈકલ પર બેસાડીને ગાવ બહાર ઉત્તર તરફ આવેલા ખેતરોમાં લઈને જતી રહી. ઘણી વાર શોધ્યા પછી મૃતદેહ વૃક્ષ પર લટકતા મળ્યા. તે બધા જ લાલપુર ગામના રહેવાસી છે.”
આ મામલે એસપી સંજીવે કહ્યું કે છોટુ, જુનૈદ, સોહેલ, હાફિઝુર રહેમાન, કરીમુદ્દીન અને આરીફની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે અન્ય એક આરોપી જુનૈદને એન્કાઉન્ટરમાં પગમાં ગોળી વાગી છે અને તેને પણ પકડી લેવામાં આવ્યો છે.
Advertisement