નવી દિલ્હી: ચીની સૈનિકો સાથે તવાંગમાં ભારતીય સેનાના અથડામણ પર અમિત શાહ (Amit Shah)નું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યુ કે ITBPના જવાનોના રહેતા મારે આ વિચારવાની જરૂર નથી કે ચીન LAC પર કઇ કરી શકે છે. ITBPના રહેણાંક અને બિન-રહેણાંક સંકુલના ઉદ્દઘાટન સમારંભમાં આ વાત કરી હતી.
Advertisement
Advertisement
એક ઇંચ જમીન કોઇ લઇ નથી શકતુ
અમિત શાહે કહ્યુ કે ITBP સૌથી દુર્ગમ વિસ્તારમાં કામ કરનારા આપણા સુરક્ષા દળ છે, તેમણે કહ્યુ કે અમે કલ્પના નથી કરી શકતા કે માઇનસ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં દેશની સીમાઓની સુરક્ષા કરવી કેટલુ દ્રઢ મનોબળ હોય છે. અમિત શાહે કહ્યુ કે જ્યારે આપણા ITBP જવાન સરહદ પર તૈનાત હોય છે તો કોઇની પણ હિમ્મત નથી કે ભારતની એક ઇંચનું અતિક્રમણ કરી શકે.
વિકાસ યાત્રામાં કાયદો-વ્યવસ્થા મહત્વની
આઇટીબીપીના સમારંભમાં ગૃહમંત્રીએ કહ્યુ કે ભારતની વિકાસ યાત્રામાં કાયદો-વ્યવસ્થાનું સારૂ હોવુ મહત્વનું છે અને BPR&Dના અંતર્ગત તેનું રિસર્ચ ઘણુ સારી રીતે થાય તેવા કેટલાક બદલાવ અમે 3 વર્ષમાં કર્યા છે જે પરિણામ પણ આપવા લાગ્યા છે.
ITBP જવાનોને હિમવીર કહેવા, પદ્મ વિભૂષણથી મોટુ સમ્માન
ગૃહમંત્રીએ કહ્યુ કે ભારત-ચીન સરહદ પર આપણા ITBPના જવાન પેટ્રોલિંગ કરી રહ્યા છે તો કોઇ વાતની ચિંતા નથી. અમિત શાહે કહ્યુ કે ITBPના જવાનોની બહાદુરી જગ જાહેર છે અને માટે જ લોકો તેમણે હિમવીર કહે છે, જે મારા હિસાબથી પદ્મ શ્રી અને પદ્મ વિભૂષણથી પણ મોટુ છે.
Advertisement