ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોએ વધુ એક મંદિરમાં તોડફોડ કરી હતી. બ્રિસ્બેનમાં આવેલા લક્ષ્મી નારાયણ મંદિરમાં કથિત રૂપે તોડફોડ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયામાં બે મહિનામાં મંદિર પર કરાયેલા આ ચોથો હુમલો છે. શનિવારે સવારે શ્રદ્ધાળુઓ જ્યારે મંદિરે પૂજા કરવા માટે પહોંચ્યા ત્યારે તોડફોડની ઘટનાની જાણ થઈ હતી. મંદિર વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ સતીન્દર શુક્લએ જણાવ્યું કે લોકોએ તેમને દીવાલ તોડી પાડવામાં આવી હોવાની માહિતી આપી હતી.તેમણે ઉમેર્યું કે વ્યવસ્થાપન સમિતિની બેઠક બાદ પોલીસ અધિકારીઓને આ ઘટનાની ફરિયાદ કરવામાં આવશે.
Advertisement
Advertisement
સ્થાનિક મીડિયા ‘ધ ઓસ્ટ્રેલિયા ટુડે’ ના જણાવ્યા મુજબ ઘણાં સમયથી ઓસ્ટ્રેલિયામાં રહેતા રમેશ કુમારે જણાવ્યું હતું કે મંદિર પર થયેલા હુમલાને લીધે તેમને આઘાત લાગ્યો છે. તેઓ જ્યારે મંદિરે પહોંચ્યા ત્યારે તોડફોડ કરાઈ હોવાની તેમને ખબર પડી હતી. તેમણે ઉમેર્યું કે ખાલિસ્તાન સમર્થકો ઓસ્ટ્રેલિયન હિંદુઓને ભયભીત કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. જેને લીધે ધાર્મિક કાર્યો તેમજ મંદિરે જવામાં અવરોધ થયો છે. સ્થાનિક મીડિયાએ તોડફોડની કેટલીક તસવીરો શેર કરી હતી.
મંદિર વ્યવસ્થાપનને ધમકી આપી
આ અગાઉ બ્રિસ્બેનમાં ગાયત્રી મંદિરને પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની આતંકવાદીઓ તરફથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારની ઓળખ ખાલિસ્તાની સમર્થક ગુરવદેશ સિંહ તરીકે થઈ હતી. તેણે 17 ફેબ્રુઆરીએ મંદિર વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ ડો. જયરામ અને ઉપાધ્યક્ષ ધર્મેશ પ્રસાદને ધમકી આપી હતી.
ઓસ્ટ્રેલિયન હિંદુ સમાજને ભયભીત કરવાનો પ્રયાસ
હિંદુ માનવઅધિકાર નિયામક સારા એલ ગેટ્સનું કહેવું છે કે આ સિખ ફોર જસ્ટિસ દ્વારા વૈશ્વિક હેટ ક્રાઈમ્સની પેટર્નમાં સૌથી નવો છે, જે સ્પષ્ટ રૂપે ઓસ્ટ્રેલિયન હિંદુ સમાજને ભયભીત કરવાનો પ્રયાસ છે. ખાલિસ્તાનની માંગ કરી રહેલું સંગઠન દુષ્પ્રચાર, ગેરકાયદેસર સંકેતો અને સાઈબર જોખમો દ્વારા ડર પેદા કરવાની કોશિશ કરી રહ્યું છે.
Advertisement