તિરુવનંતપુરમ (કેરળ): વધતા સંઘર્ષ વચ્ચે કેરળ સરકારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને કેરળ કલામંડલમ ડીમ્ડ-ટુ-બી યુનિવર્સિટીના ચાન્સેલર પદ પરથી હટાવી દીધા છે. રાજ્યમાં સરકાર અને રાજ્યપાલ વચ્ચે વધતા જતા ઘર્ષણ પછી આરીફ મોહમ્મદ ખાનને ચાન્સેલર પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે તે આરિફ મોહમ્મદ ખાનને કળા અને સંસ્કૃતિના ક્ષેત્રે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે બદલવા માટે યુનિવર્સિટીના નિયમોમાં ફેરફાર કરી રહી છે.
કેરળ સરકારે કહ્યું કે રાજ્યપાલ કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકારના પ્રતિનિધિ છે અને રાજ્યના ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) વહીવટ સાથેના તેમના દૈનિક સંઘર્ષ માટે જાણીતા છે.
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયનના વહીવટીતંત્રે કહ્યું છે કે તેઓ હવે રાજ્યમાં યુનિવર્સિટીઓના સુકાન પર રાજ્યપાલ રાખવા ઇચ્છતા નથી. વાઈસ ચાન્સેલરની નિમણૂક સહિત યુનિવર્સિટીઓની કામગીરીને લઈને બંને પક્ષો વચ્ચે મતભેદો વધી રહ્યા હતા.
ડીમ્ડ યુનિવર્સિટીના સુધારેલા નિયમો પણ જણાવે છે કે કેરળ કલામંડલમનું શાસન અને સંચાલન માળખું રાજ્ય સરકારના નિર્ણયોનું પાલન કરશે.
ત્રણ બિન-ભાજપ-શાસિત દક્ષિણી રાજ્યોમાં રાજ્યપાલો અને સરકારો વચ્ચેની અથડામણના એક દિવસ પછી આ પગલું લેવામાં આવ્યું છે. કેરળે રાજ્યની યુનિવર્સિટીઓના ચાન્સેલર તરીકે આરિફ મોહમ્મદ ખાનને બદલવા માટે વિશેષ વટહુકમનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તમિલનાડુએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજ્યપાલ આરએન રવિને પરત મોકલવાની માંગ કરી છે. તો જ્યારે તમિલિસાઈ સુંદરરાજને તેલંગાણામાં તેમનો ફોન ટેપ થવા પર શંકા વ્યક્ત કરી હતી.
Advertisement