નવી દિલ્હી: દિલ્હીની કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા બાદ કેટલાક સવાલના જવાબ આપ્યા હતા સાથે જ દિલ્હી પોલીસની પૂછપરછ અંગે પણ વાત કરી હતી. રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યુ, દિલ્હી પોલીસે મને સવાલ પૂછ્યા, પ્રથમ-શું અરવિંદ કેજરીવાલને ખબર હતી કે તમે આ કાર્યક્રમમાં જઇ રહ્યા છો? તે મે જણાવ્યુ ના અરવિંદ કેજરીવાલને અને ના તો મારી પાર્ટીને આ ખબર હતી કે હું આ પ્રોગ્રામમાં જઇ રહ્યો છું.
Advertisement
Advertisement
બીજો સવાલ પૂછ્યો કે તમે મંત્રીની હેસિયતથી ગયા હતા કે પછી અંગત રીતે, તો મે જણાવ્યુ કે હું અંગત રીતે ગયો હતો. ત્રીજો સવાલ પૂછ્યો કે શું 22 પ્રતિજ્ઞા આજે પણ પ્રાસંગિક છે તો મે કહ્યુ- હાં, બાબા સાહેબની 22 પ્રતિજ્ઞા આજે પણ પ્રાસંગિક છે. તપાસ અધિકારી ડીસીપી સાથે વાત કરવાની વાત કરી રહ્યો હતો પરંતુ મને ખબર છે કે તે ભાજપ ઓફિસે ગયા હતા મારા નિવેદનને લઇને લગભ 3.5 કલાક પૂછપરછ કરી હતી.
પ્રવેશ વર્મા પર હેટ સ્પીચનો આરોપ લાગ્યો છે. માઇનોરિટીને લઇને પરંતુ તેમની પર કોઇ ખાસ કાર્યવાહી નથી થઇ રહી? જેની પર રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યુ કે તેમનું ચરિત્ર બધા સામે આવી રહ્યુ છે, તેમના સાંસદ એક મોટા સમાજને આતંકી કહી રહ્યા છે. કેન્દ્ર સરકારના સાંસદ અને મંત્રી હેટ સ્પીચ આપે છે પરંતુ તેમના વિરૂદ્ધ કોઇ કેસ દાખલ થતો નથી. મને તો આ વાત પર પણ ક્યારેય દુખ નથી થતુ કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં પણ ક્યારેક ક્યારેક ન્યાય જોવા મળતો નથી.
તમારી પાર્ટી તમારી સાથે આ મામલે ઉભી નથી થઇ, પ્રવેશ વર્મા વિરૂદ્ધ પણ કઇ નથી બોલી રહી, સ્ટેન્ડ નથી લઇ રહી? આ સવાલ પર તેમણે કહ્યુ, ભાજપ આ જ ઇચ્છે છે કે અરવિંદ કેજરીવાલ જે કામની રાજનીતિ કરી રહ્યા છે વિજળી, પાણી, શિક્ષણ-સ્વાસ્થ્યની રાજનીતિ કરી રહ્યા છે, તેની પર રોક લાગે. ગુજરાતમાં ભાજપ હારી રહ્યુ છે, માટે આ હિન્દૂ કાર્ડ રમી રહી છે.
શું હિન્દૂ નારાજ ના થઇ જાય અથવા આમ આદમી પાર્ટી પર એન્ટી હિન્દૂ હોવાનો આરોપ ના લાગે માટે તમારૂ રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યુ અને પ્રવેશ વર્માના ભાષણ વિશે પણ પાર્ટી સ્ટેન્ડ નથી લઇ રહી? જેની પર રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યુ કે મારા માતા-પિતા કહેતા હતા કે એક ચુપ 100ને હરાવે છે. રાજનીતિમાં સાચી પરિસ્થિતિની રાહ જોવી જોઇએ, ઉતાવળમાં ભાવ આવેશમાં આવીને કઇ પણ બોલવુ કેટલીક વખત લોકોને આગળ વધારી દે છે. જે વ્યક્તિ અથવા જે પાર્ટી દેશ તોડવાનું કામ કરી રહી છે, નફરતનું વાતાવરણ બનાવી રહી છે જે છુતઅછૂત, ઉંચ-નીચની ભાવનાને બનાવી રાખવા માંગે છે હું કોઇ કિંમત પર આવી પાર્ટીને આગળ વધવા નથી દઇ શકતો.
Advertisement