વડોદરા : અરવિંદ કેજરીવાલ ગુજરાતના બે દિવસના પ્રવાસ પર છે. વડોદરામાં તિરંગા રેલીમાં અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં તેમના પોસ્ટર લગાવવાને લઈને નિવેદન આપ્યું હતું. વડોદરામાં તિરંગા રેલી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભગવાને તેમને વિશેષ કામ આપીને મોકલ્યા છે.
Advertisement
Advertisement
અરવિંદ કેજરીવાલે કહ્યું, “જે દિવસે મારો જન્મ થયો હતો તે દિવસે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી હતી અને મને ભગવાને એક સ્પેશ્યલ કામ આપીને મોકલ્યો છે. તે કામ છે આ ‘કંસના વંશજો’નો નાશ કરવાનો”
બીજેપીનું નામ લીધા વગર તેમના પર કટાક્ષ કરતા કેજરીવાલે કહ્યું, “જે લોકોએ પણ પોસ્ટ લગાવ્યો છે તેઓ મારાથી નફરત કરે છે. આ લોકો નફરતમાં એટલા આંધળા થઇ ગયા છે કે તેમને ભગવાનનું પણ અપમાન કર્યું છે, આ પોસ્ટર લગાવનારા કંસની ઓલાદ છે જે આવી રીતે ભગવાનનું અપમાન કરે છે.”
આ પણ વાંચો : ભાગલા પાડો અને રાજ કરો! શું ગુજરાતમાં વિકાસ નહીં ધર્મના નામે લડાશે ચૂંટણી?
“હું ધાર્મિક વ્યક્તિ છું. હનુમાનજીની અસીમ કૃપા છે મારા ઉપર. આ લોકો જેટલી આસુરી શક્તિઓ છે તે બધી જ મારા વિરૂદ્ધ એકઠી થઇ ગઇ છે. આ લોકો ભગવાન અને ભક્તોનો અપમાન કરે છે.”
ઉલ્લેખનિય છે કે અમદાવાદ, સુરત અને રાજકોટમાં અનેક જગ્યાઓ પર એવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં અરવિંદ કેજરીવાલને એક સફેદ ટોપી પહેરાવવામાં આવી છે.
આ પોસ્ટરોમાં હિન્દૂ વિરોધી નારા લખવામાં આવ્યા છે. પોસ્ટરોમાં લખ્યું છે, હું હિન્દૂ ધર્મને પાગલપન માનું છું. જ્યારે અન્ય પોસ્ટરોમાં લખ્યું છે, “હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને કૃષ્મને ઈશ્વર માનતો નથી.”
मेरा जन्म श्री कृष्ण जन्माष्टमी के दिन ‘कंस की औलादों’ का नाश करने के लिए हुआ था।
-CM @ArvindKejriwal #GujaratWithAAP pic.twitter.com/WlH98B8m7Y
— AAP (@AamAadmiParty) October 8, 2022
આ બધા જ પોસ્ટર પર અરવિંદ કેજરીવાલને મુસ્લિમ ઓળખ સાથે રજૂ કરવામાં આવ્યા છે.
Advertisement