નિર્મલા સીતારમણના બજેટ પર પ્રતિક્રિયા આપતા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આ બજેટમાં દિલ્હીની જનતા સાથે અન્યાય કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
તેમણે કહ્યું, “આ બજેટમાં મોંઘવારીમાંથી કોઈ રાહત નથી. ઉલટાનું આ બજેટ મોંઘવારી વધારશે. બેરોજગારી દૂર કરવા માટે કોઈ નક્કર યોજના નથી. શિક્ષણ બજેટને 2.64% થી ઘટાડીને 2.5% કરવું દુર્ભાગ્યપૂર્ણ છે. હેલ્થ સેક્ટરના બજેટ 2.2% થી ઘટાડીને 1.98% કરવું નુકસાનકારક છે.”
दिल्ली वालों के साथ फिर से सौतेला बर्ताव। दिल्ली वालों ने पिछले साल 1.75 लाख करोड़ से ज़्यादा इनकम टैक्स दिया। उस में से मात्र 325 करोड़ रुपये दिल्ली के विकास के लिए दिये। ये तो दिल्ली वालों के साथ घोर अन्याय है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 1, 2023
તેમણે વધુમાં કહ્યું કે, “દિલ્હીના લોકો સાથે ફરીથી સાવકી માતા જેવું વર્તન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે દિલ્હીની જનતાએ 1.75 લાખ કરોડથી વધુ આવકવેરો ભર્યો હતો. તેમાંથી માત્ર 325 કરોડ રૂપિયા દિલ્હીના વિકાસ માટે આપવામાં આવ્યા હતા. આ તો દિલ્હીના લોકો સાથે ઘોર અન્યાય છે.
Advertisement