કર્ણાટક સરકારે લઘુમતીઓ માટે આપેલા ચાર ટકા અનામતને રદ કરવાનો નિર્ણય લીધો છે. સીએમના આ નિર્ણય બાદ હવે અનામતની બે નવી કેટેગરીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આ ચાર ટકાને આર્થિક રીતે નબળા હેઠળ લાવવામાં આવશે.
Advertisement
Advertisement
મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આ વાતની જાણકારી આપી હતી અને ચાર ટકા અનામત અન્ય લોકો વચ્ચે સમાન રુપે વહેંચવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે કર્ણાટકમાં વોક્કાલિગા અને લિંગાયત સમુદાયો માટેના હાલના આરક્ષણમાં ઉમેરવામાં આવશે.
મુખ્યમંત્રીના સુત્રોના અનુસાર OBC મુસ્લિમો માટે ઉપલબ્ધ ચાર ટકા ક્વોટા વોક્કાલિગા અને લિંગાયત સમુદાયો વચ્ચે વહેંચવામાં આવ્યો છે. જે મુસ્લિમોને પહેલા આ ક્વોટા આપવામાં આવ્યો હતો તેઓને હવે આર્થિક રીતે નબળા વિભાગો હેઠળ લાવવામાં આવ્યા છે. કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી થવાની છે. આવી સ્થિતિમાં આ નિર્ણયને સરકારની ચૂંટણીનો દાવ કહેવામાં આવી રહ્યો છે.
Government of Karnataka has decided to increase the Lingayat reservation from 5% to 7% and reservation for Vokkaliga community from 4% to 6%: CM Basavaraj Bommai pic.twitter.com/iSphxpUYxd
— ANI (@ANI) March 24, 2023
આ નિર્ણય બાદ કર્ણાટકમાં લિંગાયત આરક્ષણ હવે 5 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવશે. આ સાથે વોક્કાલિગા સમુદાય માટે અનામત 4 ટકાથી વધારીને 6 ટકા કરવામાં આવશે.
મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ જાહેરાત કરી હતી કે મુસ્લિમોને 10 ટકા EWS ક્વોટા પૂલમાં ખસેડવામાં આવશે. કર્ણાટકમાં મુસ્લિમો કેટેગરી 2B હેઠળ આવે છે. આ ફેરફાર બાદ મુસ્લિમોએ હવે EWS ક્વોટા સાથે સ્પર્ધા કરવી પડશે. આ ક્વોટામાં બ્રાહ્મણો, વૈશ્ય, મુદલિયાર, જૈન અને અન્યનો સમાવેશ થાય છે.
Advertisement