ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં અનેક ઉમેદવારોની ટિકીટને લઈને નારાજગી પણ સામે આવી રહી છે. ત્યારે વધુ એક નારાજ ઉમેદવાર કાંધલ જાડેજાએ NCPમાંથી રાજીનામું ધરી દીધુ છે. NCPએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા કાંધલ જાડેજા નારાજ થયા છે. કાંધલ જાડેજા છેલ્લા 2 ટર્મથી કુતિયાણા બેઠક પરથી NCPના ધારાસભ્ય હતા. કાંધલ જાડેજા 2012માં NCPમાં જોડાયા હતા.
Advertisement
Advertisement
ભાજપે અગાઉ 166 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે નાથા ઓડેદરાને ટિકિટ આપી છે. કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. ગત ચૂંટણીમાં NCPએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી. પરંતું આ વખતે એનસીપીએ ટિકીટ ન આપતા કાંધલ જાડેજાએ રાજીનામું ધરી દીધુ છે.
કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે
કુતિયાણામાં ભાજપ અને કોંગ્રેસ નહીં, પરંતુ સતત બે ટર્મથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. ગત ચૂંટણીમાં NCPએ કાંધલ જાડેજાને ટિકિટ આપી હતી. પરંતું આ વખતે એનસીપીએ મેન્ડેટ આપ્યું નથી. તેથી કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરશે તેવી માહિતી પાપ્ત થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, સોમવારે ફરીવાર કાંધલ જાડેજા અપક્ષ ફોર્મ ભરી શકે છે. ગઇ કાલે કાંધલ જાડેજાએ એનસીપીના નામે ફોર્મ ભર્યું હતું. જોકે, હવે એનસીપી મેન્ડેટ આપ્યું નથી તો કાંધલ ફરી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે.
ઉલ્લેખનિય છે કે, 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસપીનુ ગઠબંધન નહીં થયું હોવા છતા કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી એનસીપી નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.
Advertisement