બાળકોને પર્યાવરણનું જ્ઞાન મળે તે માટે સ્કૂલમાં ઔષધિય પ્રયોગશાળા બનાવી
Advertisement
Advertisement
સ્કૂલમાં વિદ્યાર્થીઓને પર્યાવરણનું બેઝિક નોલેજ મળે વિચાર સાથે સેટેલાઇટ વિસ્તારની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જોધપુર પ્રાથમિક શાળા નંબર-૧ના શિક્ષકોના સહિયારા પ્રયાસથી સ્કૂલમાં ઔષધિય પ્રયોગશાળા બનાવી છે. પ્રિન્સિપાલ પ્રતાપ ગેડીયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓને પુસ્તકના જ્ઞાાન સાથે પર્યાવરણનું જ્ઞાન મળે તે જરૃરી છે. દિવસે દિવસે શહેરમાં ખુલ્લી જગ્યાઓ ઓછી થઈ રહી છે જેનાથી વિદ્યાર્થીઓને રમવા અને પ્રકૃતિનું જ્ઞાાન ઓછું મળી રહ્યું છે ત્યારે અમારી શાળા દ્વારા વિદ્યાર્થીઓને બાળપણથી જ પર્યાવરણના જતન અને છોડનો ઉછેર કેવી રીતે કરી શકાય તે માહિતીનો પ્રચાર-પ્રસાર કરીએ છીએ. વિદ્યાર્થીઓે પોતાના ઘરે રહેલી પ્લાસ્ટિકની બોટલ, માટીના કુંડા જેવી ન ઉપયોગી વસ્તુઓ શાળામાં લાવીને તેમાં વિવિધ શાકભાજી અને ફૂલ-છોડને ઉછેરવામાં આવે છે. શાળામાં પર્યાવરણ પ્રયોગશાળા, ઔષધિય બાગ, વટકલ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. હાલમાં શાળામાં ૮૦૦થી વધારે અવનવા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. કોઇ દિવસની ઉજવણી નિમિત્તે દરેક છોડ, વૃક્ષના નામની પ્લેટ લગાવવામાં આવે છે. શાળામાં બોટલપામ, કદમ, કરેણ, પેથોડીયા, એલામોન્ડા, અવનવી વેલ, આંબો, જામફળી, લીંબુ, કોડિયું, પદડાવેલ, કોલીયસ, પારિજાત, બોગનવેલ, ટિકોમાં, પાલખ, મેથી, અજમો અને રાતરાણી સહિતના છોડનો ઉછેર કરવામાં આવ્યો છે.
ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓને છોડ ઉછેરની જવાબદારી અપાઈ
શાળામાં ૪૫૦થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. નિયમિત રીતે દરેક વૃક્ષ, છોડ, કિચન ગાર્ડન અને વિવિધ ઔષધિયોની સાર સંભાળ રાખવાની જવાબદારી ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓને આપવામાં આવી છે, જેને લીધે વિદ્યાર્થીઓ સ્કૂલમાં સમયે થોડો પર્યાવરણની જાળવણી માટે આપીને તેને નજીકથી સમજવાનો એક પ્રયાસ કરે છે.
વેકેશનમાં દર બે દિવસે પાણી છાંટવા માટે પ્રિન્સિપાલ જાય છે
દિવાળી અને ઉનાળું વેકેશનના સમયમાં દર બે દિવસે પાણી છાંટવા માટે જવાનું કાર્ય કરું છે જેને લીધે છોડને પૂરતા પ્રમાણમાં પાણી મળે અને તેની માવજત કરવાનું કાર્ય પણ કરી શકાય છે. મને પર્યાવરણ પ્રત્યે ઘણો જ પ્રેમ છે અને તેની જાળવણી કરવી મારી ફરજ છે જેના માટે હું આ કાર્ય કરું છું.
Advertisement