2008માં સિરિયલ બોમ્બથી બ્લાસ્ટ આખું જયપુર ધણધણી ઉઠ્યું હતું જેમાં 71 જણાંએ જીવ ગુમાવ્યા હતા ત્યારે આ સ્થિતિ વચ્ચે આજે રાજસ્થાનની હાઈકોર્ટે જયપુરમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં તમામ 4 દોષિતોને નિર્દોષ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, નીચલી અદાલતે આ ચારેય આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા.
Advertisement
Advertisement
આજે બુધવારે થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દોષિતોની અપીલ સ્વીકારતા તેમના પક્ષમાં રાહતનો ચુકાદો સંભળાવ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટના જસ્ટિસ પંકજ ભંડારી અને જસ્ટિસ સમીર જૈનની ખંડપીઢ બેન્ચે ચુકાદો આપ્યો છે જોકે, હાઈકોર્ટે આ કેસમાં દોષિત સગીરનો કેસ કિશોર બોર્ડને મોકલી આપ્યો છે અન્ય તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
આ અગાઉ 2019માં નીચલી કોર્ટમાં જયપુર બોમ્બ બ્લાસ્ટ કેસમાં આ ચારેય આરોપીઓને દોષિત માનવામાં આવ્યા હતા જે બાદ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. પરિણામે આજે હાઈકોર્ટે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં 2019માં સુનાવણી થઈ તે દરમિયાન કુલ પાંચ આરોપી હતા પરતું એક આરોપીને નિચલી કોર્ટે નિર્દોષ છોડ્યો હતો.
13 મે, 2008ના રોજ રાજસ્થાનની રાજધાની જયપુરમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. અલગ-અલગ જગ્યાએ 8 સિરિયલ બ્લાસ્ટથી આખું જયપુર હચમચી ગયું હતું. આ ઘટનામાં 71 લોકોએ જીવ ગુમાવ્યા અને લગભગ 176 લોકો ઘાયલ થયા. ATSએ જયપુર બ્લાસ્ટ કેસમાં 11 આતંકીઓના નામ આપ્યા હતા. આ કેસમાં ATS રાજસ્થાન દ્વારા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
Advertisement