મોરબીમાં ગઈકાલે સાંજે બનેલી દુર્ઘટનામાં 190થી વધારે લોકોના મોત થયા છે.. આ યાદીમાં 36 મુસ્લિમ મૃતકોના નામ પણ સામે આવ્યા છે. જેથી કબ્રસ્તાનમાં 150 લોકોની ટીમે મળીને કબરો તૈયાર કરી છે… પુલ તૂટવાની દુર્ઘટનામાં મુસ્લિમ સમુદાયના લોકોની સંખ્યા પણ વધુ છે. મૃતકોની કબ્રસ્તાનમાં અંતિમ વિધિ કરવામાં આવશે.
Advertisement
Advertisement
મૃતકોમાં 36 મૃતકો મુસ્લિમ સમાજના હોવાથી હાલમાં મોરબીના કબ્રસ્તાનમાં 150 લોકોની ટીમે તેમની દફનવિધિ માટે 150 લોકોની ટીમે કબરો તૈયાર કરી દીધી છે. જ્યાં મૃતકોની અંતિમવિધિ કરવામાં આવશે.. અંતિમ વિધીને લઈને મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા જ ગત રાતથી કબ્રસ્તાનમાં તૈયારી કરવામાં આવી રહી છે
એક દફનવિધિ ઘર બનાવવામાં 3 થી 4 કલાકનો સમય લાગે છે. આ ઘર પણ મુસ્લિમ સમુદાયના નિયમ મુજબ બનાવવામાં આવી રહ્યાં છે… ગત રાતે બનાવ બન્યા બાદ મુસ્લિમ સમુદાયના યુવકોની 40 લોકોની ટીમ પણ મૃતદેહ નદીમાથી બહાર કાઢવા ગઈ હતી ત્યારે આજે અન્ય ટીમ કબ્રસ્તાનમાં કામ કરી રહી છે
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની ઘટનાએ હાહાકાર મચાવી દીધો હતો. એક પછી એક એમ્બ્યુલન્સથી ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલે લવાયા હતા. મૃતકો, ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનોથી આખી હોસ્પિટલ ભરાઈ ગઈ હતી..
મુસ્લિમ સમાજના પ્રમુખ પીલુડિયા ગુલામ હુસેન અબ્દુલભાઇએ જણાવ્યું હતું કે આ બનાવ ખૂબ જ દુઃખદ છે. આ સાથે જ તેમને જવાબદારો સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી છએ..
Advertisement