આગામી 31 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL મેચની શરુઆત થશે. આ તમામ મેચ અમદાવાદમાંથી રમાઈ રહી હોવાથી લોકોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજું ટેસ્ટ કરતાં આઈપીએલનો સમયગાળો અને રસાકસી વધુ હોવાથી લોકોને વિશેષ મનોરંજન મળે છે. જેના કારણે અત્યારથી જ અમદાવાદની બુકિંગ વેબસાઈટ પર ફાટાફટ 70,000 જેટલી ટિકિટો વેચાઈ ગઈ છે. હાલમાં ઓફલાઈન ટિકિટનું વેચાણ પણ થઈ રહ્યું છે એવી જાહેરાત છતાં પણ ટિકિટ પૂરી થઈ ગઈનો બોક્સ ઓફિસ પર જવાબ મળતા અનેક યુવાનોએ પોતાની નારાજગી બતાવી હતી.
Advertisement
Advertisement
આઈપીએલની મેચ અમદાવાદમાં રમાઈ રહી છે એ વાતની જાણ સાથે જ અમદાવાદના ચાર સેન્ટરો પૈકીના ગુલાબ ટાવર પાસેના સેન્ટર પર મોટી સંખ્યામાં ટિકિટ લેવા ગયેલા લોકોને નકારાત્મક જવાબ મળતા લોકો રોષે ભરાયા હતા. અમદાવાદમાં તા.31મીએ ઓપનિંગ સેરેમની સાથે હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઈટન્સની ચેન્નાઈ સુપરકિંગ્સ સામે પહેલી મેચ છે. આ મેચ સાથે સેરેમનીનું લોકોમાં વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. યુવાનોમાં આઈપીએલનું થીમ મ્યુઝિક, ચીઅર ગર્લ્સ અને વીસ ઓવરમાં જોવા મળતું એક્સાઈટમેન્ટ વિશેષ આકર્ષણ છે.
Advertisement