ભારતીય સેનાના નોર્ધન કમાન્ડના એક અધિકારી દ્વારા પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને લઈને આપવામાં આવેલા નિવેદન પર પાકિસ્તાન સેનાએ પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાન સેનાએ આ નિવેદનને રાજકીય રીતે પ્રેરિત અને ભ્રામક ગણાવ્યું છે.
Advertisement
Advertisement
ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે, “ભારત સરકાર જ્યારે પણ આદેશ આપે ત્યારે સેના “PoK” પર કાર્યવાહી કરવા માટે તૈયાર છે. ભારતીય સેના સરકારના દરેક આદેશ માટે તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આસપાસ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે 160 આતંકવાદીઓ પાકિસ્તાની લોન્ચપેડ પર હાજર છે. અમે તેમના ઈરાદાઓને સફળ થવા દઈશું નહીં.”
આ અંગે પાકિસ્તાની સેનાના પ્રવક્તા ડીજી ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર) એ કહ્યું, “આઝાદ જમ્મુ અને કાશ્મીર વિશે ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીનું અયોગ્ય નિવેદન ભારતીય સશસ્ત્ર દળોની ભ્રામક માનસિકતા દર્શાવે છે.” ભારતીય લશ્કરી વિચારો ઘરેલું રાજકારણની છાપ દેખાય છે.
“તથાકથિત લોન્ચ-પેડ અને “આતંકવાદીઓ” વિશે ગેરમાર્ગે દોરતી ટીપ્પણીઓ અને પાયાવિહોણા આરોપો એ ભારતીય સેના દ્વારા તેમના આત્મનિર્ણયના અધિકાર માટે લડતા નિર્દોષ કાશ્મીરીઓ સામે સૈન્યના બળના ઉપયોગ અને માનવાધિકારના ઉલ્લંઘનથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. અધિકાર આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા સમર્થિત છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોમાં સમાવિષ્ટ છે.
The unwarranted statement of a high-ranking Indian Army Officer concerning Azad Jammu and Kashmir is an apt manifestation of Indian Armed Forces’ delusional mindset and showcases the vivid imprint of domestic political showboating on Indian military thought (1/5)
— DG ISPR (@OfficialDGISPR) November 24, 2022
DG ISPRએ ટ્વીટ કરીને લખ્યું કે, “ભારતીય સૈન્ય અધિકારીના ઘમંડી દાવા અને વાસ્તવિક મહત્વાકાંક્ષાઓ બૌદ્ધિક રીતે અપમાનજનક છે.” પાકિસ્તાન આર્મી એક સારા હેતુ માટે બનેક એક દળ છે અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાની હિમાયત કરે છે.
“જો કે, શાંતિ માટેની આ ઈચ્છા આપણા ક્ષેત્ર સામે કોઈપણ દુ:સાહસ અથવા આક્રમણને નિષ્ફળ બનાવવાની અમારી ક્ષમતા અને તૈયારી સાથે છે. આ વાત તાજેતરમાં બાલાકોટ કેસ સહિત અનેક પ્રસંગોએ સાબિત થઈ છે.
“ભારતીય સેના તેના રાજકીય આકાઓ માટે ચૂંટણી સમર્થન મેળવવા માટે બેજવાબદારીભર્યા નિવેદનો કરવાથી દૂર રહે તો તે પ્રાદેશિક શાંતિના હિતમાં વધુ સારું રહેશે.”
Advertisement