કેન્દ્ર સરકારે સેવાનિવૃતિ લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણને દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના રૂપમાં નિયુક્ત કર્યા છે. તે ભારત સરકારના સૈન્ય બાબતો સાથે જોડાયલ વિભાગના સચિવના રૂપમાં પણ કાર્ય કરશે. રક્ષા મંત્રાલય તરફથી બુધવારે તે જાણકારી આપી છે.
Advertisement
Advertisement
રક્ષા મંત્રાલય તરફથી શું નિવેદન આપવામાં આવ્યું ?
રક્ષા મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે સેવાનિવૃત લેફ્ટિનન્ટ જનરલ અનિલ ચૌહાણને આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારત સરકારમાં સૈન્ય બાબતોના વિભાગના સચિવના રૂપમાં પણ કાર્ય કરશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચૌહાણે લગભગ 40 વર્ષથી વધારેના કરિયરમાં અનેક કમાનોનું નેતૃત્વ કર્યું છે અને તેમને જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતમાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં વ્યાપક અનુભવ ધરાવે છે.
આ મહત્વપૂર્ણ કામોની જવાબદારી સંભાળી ચૂક્યા છે ચૌહાણ
18 મે, 1961ના દિવસે જન્મેલા અનિલ ચૌહાણે વર્ષ 1981માં સેનાની 11 ગોરખા રાઈફલ્સમાં કમીશનની જવાબદારી આપવામાં આવી હતી. મેજર જનરલના રૂપમાં તેમને ઉત્તરી કમાનના બારામુલા સેક્ટરમાં ઈન્ફેન્ટ્રી ડિવીઝનની પણ કમાન સંભાળી હતી.
લેફ્ટિનેન્ટ જનરલના રૂપમાં તેમને ઉત્તર પૂર્વમાં એક કોરની કમાન સંભાળી હતી અને સપ્ટેમ્બર 2019થી પૂર્વ કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ બન્યા. તે 31 મે 2021માં સેવાનિવૃત થવા સુધી આ પદ પર રહ્યાં હતા.
#બેઠકપુરાણ છોટાઉદેપુરઃ કોંગ્રેસી વેવાઈઓના ઝગડામાં ગઢ તોડવા ભાજપ આશાવાદી
વિશિષ્ઠ સેવા માટે મળી ચૂક્યા છે અનેક સમ્માન
અનિલ ચૌહાણ ખડકવાસલાની રાષ્ટ્રીય રક્ષા એકેડમી અને દહેરાદૂન ભારતીય સૈન્ય એકેડમીના પૂર્વ વિદ્યાર્થી રહ્યાં છે. તે અંગોલામાં સંયુક્ત રાષ્ટ્રના મિશનમાં પણ કામ કરૂ ચૂક્યા છે. સેવાનિવૃતિ પછી પણ તેમને રાષ્ટ્રીય સુરક્ષા અને રણનીતિ બાબતોમાં યોગદાન આપવું ચાલું રાખ્યું.
તેમને સેનામાં વિશિષ્ટ અને શાનદાર સેવા માટે પરમ વિશિષ્ટ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, આર્મી મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે.
8 ડિસેમ્બર, 2021માં ક્રેશ થયો હતો જનરલ રાવતનું હેલિકોપ્ટર
જણાવી દઈએ કે 8 ડિસેમ્બરે જનરલ રાવત અને તેમની પત્ની સહિત 14 લોકોને લઈને જઈ રહેલું વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટર તમિલનાડૂના કોયંબટૂરમાં ક્રેશ થઈ ગયો હતો. જનરલ બિપિન રાવત સુલુર એરપોર્ટથી વેલિંગ્ટનની એક કોલેજમાં લેક્ચર આપવા જઈ રહ્યા હતા ત્યારે કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દૂર્ઘટનામાં જનરલ રાવત અને તેમની પત્ની સહિત 13 લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે ગ્રુપના કેપ્ટન વરૂણ સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું.
અચાનક ખરાબ થયેલા વાતાવરણના કારણે ઘટી દૂર્ઘટના
આ દુર્ઘટનાના ટ્રાઈ-સર્વિસ કોર્ટ ઑફ ઈન્કવાયરીના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે હવામાનમાં અચાનક ફેરફાર થયા બાદ હેલિકોપ્ટર વાદળોમાં ઘૂસી જવાથી દ્રશ્યતા ઓછી થઇ જવાના કારણે અકસ્માત થયો હતો. હેલિકોપ્ટર વાદળો વચ્ચે ફસાઇ જવાના કારણે પાયલટને દિશાભ્રમ થઇ ગયું અને તેનો હેલિકોપ્ટર ઉપરનો નિયંત્રણ છૂટી ગયો હતો. આ કોર્ટ ઓફ ઈન્કવાયરીની અધ્યક્ષતા એર માર્શલ માનવેન્દ્ર સિંહે કરી હતી, જેઓ સશસ્ત્ર દળોમાં ટોચના હેલિકોપ્ટર પાઈલટ છે.
Advertisement