પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે જન જીવન અસ્તવ્યસ્ત બની ગયુ છે. પાકિસ્તાનમાં પૂરને કારણે વરસાદનું પાણી છેક કચ્છના ધોળાવીરા સુધી આવી પહોચ્યુ હતુ જેને કારણે રસ્તાનું ધોવાણ થયુ છે. પાકિસ્તાનમાં જળ બંબાકારની સ્થિતિને કારણે કચ્છનું રણ દરિયામાં ફેરવાઇ ગયુ છે.
Advertisement
Advertisement
ભારતનો કચ્છ જિલ્લો અને પાકિસ્તાનનો થરપારકર જિલ્લો બન્ને કચ્છના વિશાળ રણ સાથે જોડાયેલા છે. કચ્છનું મોટુ રણ પાકિસ્તાનના થરપારકર સુધી ફેલાયેલુ છે. પાકિસ્તાનમાં ભારે વરસાદને પગલે રણમાં પાકિસ્તાનમાંથી પાણીનો પ્રવાહ કચ્છ તરફ ધસી આવ્યો હતો.
પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે પાણીને કારણે ઘડુલી-સાંતલપુર માર્ગનું ધોવાણ થયુ હતુ.
Advertisement