- ગુજરાતમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવવા આવ્યા છે. તો એકે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મીણા, મોહમ્મદશાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા, બચ્છાનીધી પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
- મુકેશ પુરીને સચિવાલયમાં ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે, હાલમાં તેઓ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં ACS હતા. તેમની પાસે સરદાર સરોવર નર્મદા નિગમના MDનો વધારાનો ચાર્જ રહેશે.
- એ.કે રાકેશને વધારાના ચાર્જમાંથી મુક્ત કરાવામાં આવ્યા.
- સંજય નંદનને સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એમ્પલોયમેન્ટમાં અમદાવાદના મહાત્મા ગાંધીના લેબર ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર જનરલ મૂકવામાં આવ્યા છે. તેઓ ગુજરાત રાજ્ય વેરહાઉસ કોર્પોરેશનમાં એમડી હતા.
- ડો. અનૂજ શર્માને વધારાના ચાર્જમાંથી છૂટા કર્યા છે.
- એ કે રાકેશને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે. અત્યારે તેઓ સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગમાં ACS હતા.
- મહેસૂલ વિભાગના કમલ દયાણીને એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે યથાવત રખાયા છે, જયારે એ.કે. રાકેશની બદલી થતાં તેમને સામાન્ય વહીવટ વિભાગનો એડિશનલ ચીફ સેક્રેટરીનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
- અરૂણકુમાર સોલંકીને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં આવતા ગુજરાત રાજ્ય વેરહાઉસ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા છે. હાલમાં તેઓ વન અને પર્યાવરણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે હતા.
- એસ. જે. હૈદરને ઈન્ડસ્ટ્રી એન્ડ માઈન્સ ડિપાર્ટમેન્ટમાં એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે, તેઓ સચિવાલયમાં શિક્ષણ વિભાગમાં (ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ) એડિશનલ ચીફ સેક્રેટરી હતા, જ્યારે કમલ દયાણીને ખાણ વિભાગના વધારાના હવાલામાંથી મુક્ત કરાયા છે.
- મુકેશ કુમારને શિક્ષણ વિભાગમાં (ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ)ના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવાયા છે. તેઓ સચિવાલયમાં શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી હતા.
- રમેશ મીણાની સચિવાલયમાં ખાદ્ય, નાગરિક પૂરવઠો અને ગ્રાહક બાબતોના વિભાગમાં બદલી કરાઈ છે. તેઓ અમદાવાદ ખાતે સ્પીપામાં ડાયરેક્ટર જનરલ હતા.
- મોહમદ શાહીદને અમદાવાદ ખાતે સ્પીપાના ડાયરેક્ટર બનાવાયા છે. તેઓ સચિવાલયમાં ખાદ્ય, નાગરિક પૂરવઠો અને ગ્રાહક બાબતોના વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી હતા. તેમની પાસે સચિવાલયમાં જાહેર વહીવટ (NRI& ART) વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીનો વધારાનો ચાર્જ રહેશે. ધનંજય દ્વિવેદી ચાર્જ લેશે ત્યારે તેમને મુક્ત કરાશે.
- સંજય કુમારને વન અને પર્યવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવાયા છે, તેઓ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનમાં મેનેજિંગ ડાયરેક્ટર હતા. સંજયકુમારને ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી અને શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરીનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
- મિલિંદ તોરવણેની બદલી અપ્રાપ્ય ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગાંધીનગર ખાતે મેનેજિંગ ડાયરેક્ટર કરવામાં આવી છે. આ અગાઉ તેઓ ગ્રામીણ વિભાગના ગ્રામીણ વિકાસ અને સેક્રેટરી, પંચાયત, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગમાં કમિશનર હતા.
- સંજય કુમારને વન અને પર્યવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મૂકવામાં છે, તેઓ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનમાં મેનેજિંગ ડાયરેક્ટર હતા. સંજયકુમારને ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી અને શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરીનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
- મિલિંદ તોરવણેની બદલી અપ્રાપ્ય ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગાંધીનગર ખાતે મેનેજિંગ ડાયરેક્ટર બનાવાયા છે, આ પહેલા તેઓ ગ્રામીણ વિભાગના ગ્રામીણ વિકાસ અને સેક્રેટરી, પંચાયત, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગમાં કમિશનર હતા.
- રૂપવંતસિંગને ગાંધીનગર ખાતે જીઓલોજી એન્ડ માઈનિંગના કમિશનર અને ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિ. અમદાવાદમાં પૂર્ણ સમયના મેનેજિંગ ડાયરેક્ટર બનાવાયા છે, પહેલાં તેમની પાસે ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિ. વધારાનો ચાર્જ હતો.
- ડો. રાહુલ ગુપ્તા ઈન્ડસ્ટ્રી કમિશનર હતા અને ગાંધીનગરમાં GIDCના પૂર્ણકાલિન વાઈસ ચેરમેને અને મેનેજિંગ ડાયરેક્ટર બનાવાયા છે. તેઓની પાસે GIDCનો વધારાનો હવાલો હતો.
- મનીષા ચંદ્રા નાણા વિભાગના સેક્રેટરી તરીકે છે અને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે, તેમની પાસે ગ્રામીણ વિકાસ, પંચાયત અને ગ્રામીણ આવાસ વિભાગના કમિશનર તરીકેનો વધારોનો ચાર્જ રહેશે. મિલિંદ તોરવણે ચાર્જ લેતા મુક્ત કરાશે.
- બન્છાનિધી પાનીને ટેક્નિકલ એજ્યુકેશનના કમિશનર બનાવાયા છે, તેઓ વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર હતા.
- હર્ષદ પટેલને યુવા, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિના કમિશનર બનાવાયા છે અને બીજી પ્રજાપતિને વધારાના હવાલામાંથી મુક્ત કરાયા છે. પટેલ સચિવાલયમાં રેવેન્યૂ વિભાગમાં રીલિફ અને અન્ય બચાવમાં સેક્રેટરી હતા.
- આલોક પાંડેયને રેવેન્યૂ વિભાગમાં રાહત અને બચાવ કમિશનર તરીકે સચિવાલયમાં બદલી કરાઈ છે, તેઓ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતમાં મેનેજિંગ ડાયેરક્ટર હતા.
- અર્દ્રા અગ્રવાલ હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર છે અને તેઓ સેસન્સ ઓપરેશનના ડાયરેક્ટર અને સિટિઝન રજીસ્ટ્રેશનના ડાયરેક્ટર તરીકે ગુજરાત, દિવ દમણ અને દાદરાનગર હવેલીનો ગાંધીનગર ખાતે ચાર્જ સંભાળે છે. તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે
- ડી.એન.માળી હાલમાં કમિશનર તરીકે મહિલા અને બાળ વિકાસ કચેરીમાં કાર્યરત હતા. તેમને પ્રમોટ કરીને આ જ સ્થળે બઢતી આપવામાં આવી છે.
- કુમારી બી.આર. દવે (SCS:GJ:2007) તાપી-વ્યારાના કલેક્ટરને બઢતી આપી રાજ્ય માનવ અધિકાર આયોગ, ગાંધીનગરના સચિવ તરીકે નિમણૂક કરાયા છે અને આ પોસ્ટ માટે રાજકુમાર બેનીવાલને આ પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
- આર.એસ. નિનામા (SCS:GJ:2007) ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઑફ ગુજરાત (D-SAG)માં CEO તરીકે ફરજ બજાવતા હતા તેમને ગુજરાત હાઉસિંગ બોર્ડ, અમદાવાદમાં બઢતી આપવામાં આવી છે. અહીંથી રાકેશ શંકરને વધારાના ચાર્જથી મુક્ત કરવામાં આવ્યા છે.
- ડૉ.ધવલકુમાર કિરીટકુમાર પટેલ અમદાવાદના કલેક્ટર હતા તેમની બદલી ગાંધીનગર ખાતે જીઓલોજી અને માઈનિંગ વિભાગમાં કરવામાં આવી છે. જ્યાં IAS રૂપવંત સિંઘને મૂકવામાં આવ્યા છે.
- સુપ્રીત સિંહ ગુલાટી પાટણના કલેક્ટર હતા અને તેમની બદલી ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઑફ ગુજરાત (D-SAG)માં CEO તરીકે કરવામાં આવી છેસુપ્રીત સિંહ ગુલાટી આગામી આદેશ સુધી ગાંધીનગરના આદિજાતિ વિકાસ નિયામકનો વધારાનો હવાલો સંભાળશે.
- હિતેશ કે. કોયા સાબરકાંઠાના કલેક્ટર હતા તેમની બદલી કલેક્ટર, ગાંધીનગર તરીકે કરવામાં આવી છે. કુમારી પ્રવીણા ડી.કે.ની જગ્યાએ તેમની નિમણૂક કરવામાં આવી છે.
- એ.એમ. શર્મા પોરબંદરના કલેક્ટર હતા તેમની બદલી કરી દેવભૂમિ દ્વારકા-ખંભાળિયાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ જગ્યા પર એમ.એ.પંડ્યાની બદલી કરવામાં આવી છે.
- ડો.કુલદીપ આર્યાને એડિશનલ ઈન્ડસ્ટ્રીઝ કમિશનર તરીકે ગાંધીનગર ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે. બી.જી. પ્રજાપતિને વધારાના ચાર્જથી મુક્ત કરવામાં આવ્યા છે.
- કુમારી પ્રવીણા ડી.કે.ગાંધીનગરના કલેક્ટર હતા. તેમની બદલી અમદાવાદના કલેક્ટર તરીકે કરવામાં આવી છે.
- બી.એ. શાહની બોટાદના કલેક્ટર હતા. તેમની બદલી કરી કલેક્ટર, જામનગર ખાતે નિમણૂક કરવામાં આવી છે.
- એમ.આઈ. પટેલ ગાંધીનગર ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક સચિવ હતા. તેમની બદલી કલેક્ટર, ડાંગ-આહવા ખાતે કરવામાં આવી છે.
- ડી.એચ.શાહ સાબરકાંઠા-હિંમતનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી હતા. તેમની બદલી મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન , ગાંધીનગર ખાતે કરવામાં આવી છે.
- આનંદ બાબુલાલ પટેલ બનાસકાંઠા ખાતે કલેક્ટર હતા.તેમની બદલી મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ ખાતે કરવામાં આવી છે.
- ડૉ.નરેન્દ્ર કુમાર મીણા અરવલ્લી-મોડાસાના કલેક્ટર હતા. તેમની બદલી મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC), ગાંધીનગર ખાતે કરવામાં આવી છે.
- બી.જી. પ્રજાપતિ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC), ગાંધીનગર ખાતે જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર હતા. તેમની ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
- ડી.ડી. કાપડિયા તાપી-વ્યારાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. તેમની બદલી સુરત નગરપાલિકાના રિજનલ કમિશનર તરીકે કરવામાં આવી છે.
- ટી.વાય. ભટ્ટ MGVCLના વડોદરા ખાતે મેનેજિંગ ડિરેક્ટર હતા. તેમની બદલી મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે.
- અજય પ્રકાશ કમિશનર ઑફ હેલ્થ, મેડિકલ સર્વિસિસ એન્ડ મેડિકલ એજ્યુકેશન, ગાંધીનગર ખાતે હતા. તેમને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA), ગાંધીનગરના નિયામક તરીકે મૂકવામાં આવ્યા છે.
- ડૉ.સૌરભ પારધી જામનગરના કલેક્ટર હતા. તેમની બદલી મેનેજિંગ ડાયરેક્ટર, ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત , ગાંધીનગર ખાતે કરવામાં આવી છે
- સુજલ મયાત્રા પંચમહાલ ગોધરાના કલેક્ટર હતા તેમની બદલી સંયુક્ત સચિવ તરીકે મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે
- કે.ડી. લાખાણી મહિસાગર-લુણાવાડાના જિલ્લા વિકાસ અધિકારી હતા. તેમની બદલી કલેક્ટર, પોરબંદર તરીકે કરવામાં આવી છે.
- હરજીભાઈ કે. વઢવાણિયા એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA)ના ગાંધીનગર ખાતે ડાયરેક્ટર હતા. તેમની બદલી કલેક્ટર, ગીર-સોમનાથ-વેરાવળ તરીકે કરવામાં આવી છે.
- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની કચ્છ-ભુજના કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
- ગૌરાંગ એચ. મકવાણા અમરેલીના કલેક્ટર હતા. તેમની બદલી મેનેજિંગ ડિરેક્ટર, ઔદ્યોગિક વિસ્તરણ બ્યુરો (INDEXT-B), ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. ગૌરાંગ એચ. મકવાણા મુખ્ય કાર્યકારી અધિકારી, ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB), ગાંધીનગર ખાતે વધારાનો હવાલો સંભાળશે.
- ડી.ડી. જાડેજા, અધિક વિકાસ કમિશનર, ગાંધીનગરની બદલી જિલ્લા વિકાસ અધિકારી, મોરબી તરીકે કરવામાં આવી છે.
- એસ.કે. મોદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ, ગાંધીનગર ખાતે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હતા. તેમની બદલી અમદાવાદ નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર તરીકે કરવામાં આવી છે.
- એમ. કે. દવે ખેડા-નડિયાદમાં DDO તરીકે ફરજ નીભાવતા હતા. હાલ તેની ટ્રાન્સફર અમદાવાદના DDO તરીકે થઈ છે. જ્યાં પહેલા અનિલ ધામેલિયા ફરજ બજાવતા હતા.
- પી.ડી. પલસાણા બોટાદના DDOની ટ્રાન્સફર આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગના મેનેજીંગ ડાયરેકટર તરીકે કરવામાં આવી છે. જ્યારે ગુજરાત રાજ્ય મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ, ગાંધીનગરમાં વધારાના ચાર્જ સંભાળતા અજય પ્રકાશને તેમાંથી મુક્તિ આપવામાં આવી છે.
- એન. એન. દવે જેઓ ગાંધીનગર સચિવાલયમાં મુખ્યમંત્રી માટે વિશેષ ફરજ બજાવતા અધિકારી હતા. હાલ તેમની બદલી સાબરકાંઠા-હિંમતનગરના કલેક્ટર હિતેશ કોયાના સ્થાને થઈ છે.
- વી. એન. શાહ જેઓ GUDAમાં CEO તરીકે ફરજ નિભાવતા હતા. હાલ તેની ટ્રાન્સફર તાપી-વ્યારાના DDO ડી. ડી. કાપડિયાના સ્થાને કરવામાં આવી છે.
- એસ. કે. પ્રજાપતિ જેઓ સ્વચ્છ ભારત મિશન (શહેરી), ગાંધીનગરના મિશન ડાયરેકટર હતા. તેની ટ્રાન્સફર કચ્છ-ભુજના DDO ભવ્ય વેર્માના સ્થાને થઈ છે.
- અરૂણ મહેશ બાબુ
- અરૂણ મહેશ બાબુ જેઓ રાજકોટના કલેકટર હતા. તેની ટ્રાન્સફર એનર્જી અને પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટના મેનેજીંગ ડાટરેકટર તરીકે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ મહેસાણામાં પ્રભાવ જોષીના સ્થાને થઈ છે.
- યોગેશ બાબનરાઉ નિર્ગુડે જેઓ ટ્રાઈબલ ડેવલ્પમેન્ટ ગાંધીનગરના ડાયરેકટર હતા. તેની ટ્રાન્સફર લો એન્ડ ઓર્ડરના જોઈન્ટ સેક્રેટરી, હોમ ડિપાર્ટમેન્ટ, સચિવાલય, ગાંધીનગરમાં થઈ છે.
- કે. એસ. વસાવા ટેકનિકલ એજ્યુકેશન ગાંધીનગર ડાયરેકટર હતા. તેની ટ્રાન્સફર સ્પોર્ટ્સ, યુથ એન્ડ કલ્ચરલ એક્ટીવીટી ડિપાર્ટમેન્ટ, સચિવાલય, ગાંધીનગરમાં થઈ છે.
- એસ. પી. ભગોરા જેઓ ગુજરાત વુમન ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ગાંધીનગરના મેનેજીંગ ડાયરેકટર હતા. તેની ટ્રાન્સફર વડોદરા મ્યુનિસિપાલિટીના શહેરી વિકાસ અને હાઉસિંગ ડિપાર્ટમેન્ટના રિજનલ કમિશનર પ્રશસ્તિ પરીકના સ્થાને થઈ છે.
- આર. એમ. દામોર રેવેન્યુ ડિપાર્ટમેન્ટ, સચિવાલય, ગાંધીનગર ના જોઈન્ટ સેક્રેટરીની ટ્રાન્સફર ડાંગ-આહવાના DDO વિપિન ગર્ગના સ્થાને થઈ છે.
Advertisement