જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ બુધવારે (22 માર્ચ, 2023) સમાચાર એજન્સી પીટીઆઈ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે જ્યાં સુધી ભારત સરકાર કલમ 370 પુનઃસ્થાપિત નહીં કરે ત્યાં સુધી તેઓ વિધાનસભાની ચૂંટણી લડશે નહીં. તે મારા માટે ભાવનાત્મક મુદ્દો છે, તેમણે કહ્યું, “જ્યારે પણ મેં ગૃહના સભ્ય તરીકે શપથ લીધા ત્યારે તે બે બંધારણ હેઠળ હતું, જમ્મુ અને કાશ્મીરનું બંધારણ અને ભારતનું બંધારણ, જેમાં એક સાથે બે ધ્વજ હતા.”
Advertisement
Advertisement
પૂછવામાં આવ્યું કે શું તેણી સંસદીય ચૂંટણી લડશે, પીડીપી પ્રમુખે કહ્યું કે તે અંગે હજું કંઇ નક્કી નથી. ” પીપલ્સ એલાયન્સ ફોર ગુપકર ડિક્લેરેશન (PAGD), જે અનુચ્છેદ 370 ના પુનઃ અમલની માંગણી કરતું જોડાણ, ગઠબંધન તરીકે વિધાનસભા ચૂંટણી લડશે કે કેમ તે અંગે મહેબૂબાએ કહ્યું કે આ અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે. તેમણે કહ્યું, ‘અમે ક્યારેય ચર્ચા કરી નથી કે અમે ચૂંટણી એકસાથે લડવાના છીએ કે અલગથી. જ્યાં સુધી અમે બધા સાથે બેસીસું નહીં ત્યાર સુધી આ અંગે વાત કરી શકીશું નહીં.
‘પંચાયત વિધાનસભાનો વિકલ્પ બની શકે નહીં’
જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવાના કેન્દ્ર સરકારના દાવા પર મહેબૂબાએ કહ્યું કે જો પંચાયત ચૂંટણી જ લોકશાહીની અસલ પરીક્ષા છે તો પછી દેશમાં વડાપ્રધાન અને ગૃહમંત્રીના પદો કેમ છે. પીડીપી પ્રમુખે કહ્યું, “તેઓ પંચાયત ચૂંટણીની વાત કરી રહ્યા છે. એવું નથી કે આ ચૂંટણી પહેલીવાર થઈ છે. આ ચૂંટણીઓ (નેશનલ કોન્ફરન્સના સ્થાપક) શેખ મોહમ્મદ અબ્દુલ્લાના સમયથી થઈ રહી છે. જો લોકશાહીની અસલી પરીક્ષા પંચાયત છે તો વડાપ્રધાન અને ગૃહમંત્રી શું કરી રહ્યા છે? પંચાયત એ વિધાનસભાનો વિકલ્પ બની શકે નહીં.
Advertisement