ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલે કાર્યભાર સંભાળ્યો હતો. ગુજરાતની રાજનીતિમાં રેકોર્ડ બનાવતા ભૂપેન્દ્ર પટેલે સોમવારે પાટીદાર મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધી હતી.
Advertisement
Advertisement
મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂપેન્દ્ર પટેલને શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લીધા બાદ અડાલજ સ્થિત ત્રિમંદિર ગયા હતા અને ત્યા જઇને વર્ધમાન તીર્થાકર મહાવીર સ્વામી અને દાદા ભગવાનના આશીર્વાદ લીધા હતા. શપથગ્રહણ કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે કેબિનેટની પ્રથમ બેઠક બોલાવી હતી તે બાદ વિભાગોની જાહેરાત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દાદા કહીને બોલાવવામાં આવે છે પરંતુ મુખ્યમંત્રી ખુદ દાદા ભગવાનના મોટા ઉપાસક છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી સરકારનું કામકાજ શરૂ કર્યા પહેલા પ્રાર્થના કરી હતી. આ દરમિયાન સરકારના બીજા સીનિયર મંત્રી પણ હાજર રહ્યા હતા. ગુજરાતના બીજી વખત મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલે મંગળવારે પૂજા કર્યા બાદ મંત્રી મંડળના સહયોગીઓ સાથે કાર્યભાર સંભાળ્યો હતો. આ દરમિયાન મોટાભાગના સીનિયર મંત્રી હાજર રહ્યા હતા.
Advertisement