નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું 79 વર્ષની વયે નિધન થયુ છે. તે છેલ્લા ઘણા સમયથી એમીલૉયડોસિસ નામની ગંભીર બીમારીથી પીડિત હતા, તેમણે દૂબઇની હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મોટી વાત આ છે કે પોતાના કાર્યકાળમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે કાશ્મીર મુદ્દો હલ કરવાની નજીક પહોચી ગયા હતા પરંતુ અંતિમ ક્ષણે સમજૂતિ થઇ શકી નહતી.
Advertisement
Advertisement
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદના પુસ્તકમાં ઉલ્લેખ
કાશ્મીર મુદ્દાને હલ કરવાની નજીક પહોચવાની વાત વિસ્તૃત ઉલ્લેખ પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસૂરીએ લખેલા પુસ્તક ‘નાઇટર એ હૉક નૉર એ ડવ’માં કરવામાં આવ્યો છે. જેમાં લખ્યુ છે કે કાશ્મીર મુદ્દાનું સમાધાન બન્ને સરકારના હાથમાં હતુ અને બન્ને સરકાર આમ કરવા માંગતી હતી પરંતુ એવુ બની ના શક્યુ. હવે સવાલ ઉભો થાય છે કે અંતે બન્ને સરકારની ઇચ્છા છતા આ કેમ શક્ય ના થઇ શક્યુ.
વર્ષ 2001માં આગ્રા શિખર વાર્તામાં સમજૂતિ થવાની હતી
બન્ને દેશ વચ્ચે આ સમજૂતિ 2001ની આગ્રા શિખર વાર્તામાં કરવામાં આવવાની હતી. કારગિલ યુદ્ધના બે વર્ષ પછી જ્યારે 2001માં મુશર્રફ ભારત આવ્યા હતા તે સમયે પણ કારગિલ યુદ્ધના ઘા તાજા હતા પરંતુ આશા વ્યક્ત કરવામાં આવતી હતી કે આ કડવાહટ ઓછી થશે.
ઇતિહાસમાં આ સમ્મેલનને ભારત-પાકિસ્તાનના સબંધોની સંભાવનાને લઇને યાદ કરવામાં આવે છે પરંતુ બન્ને દેશ વચ્ચે વાત બનતા બનતા રહી ગઇ હતી.
મુશર્રફે સમજૂતિ માટે મુક્યા હતા ચાર પ્રસ્તાવ
કહેવામાં આવે છે કે આગ્રા શિખર વાર્તામાં મુશર્રફે કાશ્મીર મુદ્દા પર સમજૂતિના ચાર પ્રસ્તાવ મુક્યા હતા અને અટલ બિહારી વાજપેયી પણ સહમત હતા પરંતુ અંતમાં આ શક્ય બન્યુ નહતુ. એવામાં આપણે જાણીયે કે આ ચાર પ્રસ્તાવ ક્યા હતા.
LoCથી સૈનિકોની તબક્કાવાર વાપસી
મુશર્રફનો પ્રથમ પ્રસ્તાવ હતો કે કાશ્મીર નિયંત્રણ રેખા (LoC)ના બન્ને તરફ લાખો સૈનિક તૈનાત છે. એવામાં ભારત અને પાકિસ્તાન બન્નેને સ્થાયી શાંતિ માટે વિસ્તારમાં પોતાના સૈનિકોને પરત બોલાવવા પડશે. જોકે, સૈનિકોની આ વાપસી તબક્કાવાર રીતે થશે અને બન્ને પક્ષની સહમતિથી કામ કરવુ પડશે. કહેવામાં આવે છે કે મુશર્રફના આ પ્રસ્તાવથી ભારત પણ સહમત હતુ અને આગળ વધવા તૈયાર હતુ.
કાશ્મીર સરહદમાં કોઇ બદલાવ ના કરવાનો પ્રસ્તાવ
મુશર્રફનો બીજો પ્રસ્તાવ હતો કે કાશ્મીરની સીમામાં કોઇ બદલાવ નહી થાય. જોકે, જમ્મુ કાશ્મીરના લોકોને LoC પાર કરીને આવ-જા કરવાની સ્વતંત્ર પરવાનગી હશે. જો ભારત તેનો સ્વીકાર કરતુ તો તેને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર પાકિસ્તાનની સંપ્રભુતાને સ્વીકાર કરવી પડતી અને બદલામાં પાકિસ્તાને પણ બારત તરફથી જમ્મુ કાશ્મીરના ભાગમાં કરેલા દાવા પર ભારતનો હક સ્વીકાર કરવો પડતો.
જમ્મુ અને કાશ્મીરને સ્વાયત્તતા આપવામાં આવી
પાકિસ્તાન લાંબા સમયથી કાશ્મીરીઓના આત્મનિર્ણયનો સહયોગી રહ્યો છે પરંતુ મુશર્રફ મોટાભાગે સ્વાયતતાના પક્ષમાં તેને છોડવા તૈયાર હતા. જેનાથી પણ ભારત સરકારને કોઇ આપત્તિ નહતી કારણ કે જમ્મુ કાશ્મીરમાં પહેલાથી જ કલમ 370 લાગુ હતી. જો આ સમજૂતિ થઇ જાત તો જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હંમેશા માટે બની રહેતી અને શરૂઆતથી જ આ ઘટનાને ઉઠાવનાર ભાજપે પોતાના વલણથી પાછળ હટવુ પડતુ.
ભારત અને પાકિસ્તાન સાથે જમ્મુ કાશ્મીરમાં એક સંયુક્ત તંત્ર
મુશર્રફનો ચોથો પ્રસ્તાવ ભારત, પાકિસ્તાન અને કાશ્મીરને સામેલ કરતા જમ્મુ કાશ્મીરમાં એક સંયુક્ત નજર રાખતુ તંત્ર સ્થાપિત કરવાનું હતું. જેમાં મુશર્રફનો ભાર સ્થાનિક કાશ્મીરી નેતૃત્વને સામેલ કરવાનો હતો. જોકે, 2001ના આગ્રા શિખર વાર્તા નિષ્ફળ થયાના કેટલાક વર્ષ પછી મુશર્રફે દાવો કર્યો હતો કે આ મામલે ભારતીય પક્ષ સમજૂતિથી પાછળ હટી ગયુ હતુ, જ્યારે ડ્રાફ્ટ ઠરાવ સહી માટે તૈયાર હતો.
સમજૂતિ નિષ્ફળ થવાનું શું કારણ હતુ?
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી કસૂરીએ પોતાના પુસ્તકમાં આ સમજૂતિ નિષ્ફળ થવા માટે કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને જવાબદાર ઠેરવ્યા હતા, તેમણે લખ્યુ હતુ, ‘તેમણે (ગિલાની) રાષ્ટ્રપતિ મુશર્રફના ચાર સુત્રના એજન્ડાને અસ્પષ્ટ ગણાવ્યો હતો અને UNSC પ્રસ્તાવોની કાશ્મીરથી પ્રાસંગિકતા પર રાષ્ટ્રપતિના નિવેદનની ટિકા કરી હતી. જોકે, અન્ય કાશ્મીરી નેતા સમજૂતિના પક્ષમાં હતા અને ગિલાનીથી સહમત નહતા.
મુશર્રફે વાર્તાના પાંચ વર્ષ પછી કર્યો હતો આ ઘટનાનો ઉલ્લેખ
આગ્રા શિખર વાર્તાના પાચ વર્ષ પછી 2006માં મુશર્રફે પોતાની આત્મકથા ‘ઇન ધ લાઇન ઓફ ફાયર’માં તેનો ઉલ્લેખ કરતા લખ્યુ હત, ‘રાત્રે 11 વાગ્યે વડાપ્રધાન વાજપેયી સાથે મુલાકાત થઇ. મે તેમમે કહ્યુ કે કોઇ એવો વ્યક્તિ છે જે આપણા બન્નેનીઉપર છે અને જેની આગળ આપણા બન્નેની કોઇ ચાલી શક્યુ નહતુ.’ તે બાદ લાલકૃષ્ણ અડવાણીએ માય કંટ્રી માય લાઇફમાં લખ્યુ હતુ કે મુશર્રફનો ઇશારો તેમની તરફ હતો.
અડવાણીના સવાલથી મુશર્રફ ચોકી ગયા હતા
એક ભારતીય પક્ષનો દાવો એવો પણ છે કે આગ્રા શિખર વાર્તા પહેલા મુશર્રફે સમર્પણ સંધિ પર હા કહ્યુ હતુ. તે દરમિયાન અડવાણીએ કહ્યુ હતુ કે આ સંધિના લાગુ થયા પહેલા જો પાકિસ્તાન 1993માં મુંબઇ વિસ્ફોટના આરોપી દાઉદ ઇબ્રાહિમને ભારતને સોપી દે તો શાંતિ પ્રક્રિયા આગળ વધારવામાં મદદ મળશે, જેનાથી મુશર્રફ પણ ચોકી ગયા હતા.
તે બાદ સમ્મેલન થયુ હતુ પરંતુ તે નિષ્ફળ રહ્યુ હતુ અને સમજૂતિ પર હસ્તાક્ષર થઇ શક્યા નહતા.
Advertisement