મુંબઈ, એક વર્ષ પહેલાં હોમલોનનું વ્યાજ 6.5 ટકા સરેરાશ હતું જે દશકાનું સૌથી ઓછું કહી શકાય. પરંતુ દસ જ મહિનામાં હોમલોન લેનારાને હવે 9 ટકા જેટલું વ્યાજ ભરવું પડે છે. આ ફર્ક માત્ર એપ્રિલ 2022થી 2023 વચ્ચેનો છે. જે લોકોએ એપ્રિલ 2022માં લોન લીધી હતી તેમણે હવે 2023માં રિટાયર્ડમેન્ટ પછી પણ લોન ભરવાની રહેશે. મોટા ભાગના ફ્લોટિંગ રેટથી હોમલોન લેતા હોય છે અને તેના કારણે હવે હોમલોનના વ્યાજદરમાં વધારો થતાં જો ત્રીસ વર્ષ કે તેથી વધુ મુદત ગણવામાં આવે તો જેમણે ગયા વર્ષે હોમલોન લીધી હતી તે લોકોને નિવૃત્તિ પછી પણ હોમલોન ભરવી પડશે.
Advertisement
Advertisement
બિપિનભાઈ પટેલે ગયા વર્ષે 59 લાખની લોન લીધી હતી અને તેમની લોનનો વ્યાજદર 6.5 ટકા હતો. જો કે આજે તે 9 ટકાના દરે જોશે તો તેમના લોન ભરવાનો સમયગાળો બે વર્ષ વધુ થઈ ગયો છે. જે તેમની નિવૃત્તિની ઉંમર પછીના બે વર્ષ સુધી ચાલશે. આ કારણથી બિપિનભાઈએ અન્ય બેંકોમાં જઈને તપાસ કરીને નેગોશિએટ કર્યું તો તેમને થોડી રાહત મળી.
જો તમે પણ આવી રીતે ઓછા દરે હોમલોન લીધી હોય અને તમારી બેંકનો વ્યાજદર વધી જતો હોય તો તમે અન્ય બેંક સાથે 0.5 ટકા નેગોશિએટ કરીને તમારી નિવૃત્તિના સમયે હોમલોનનો સમયગાળો ઘટાડી શકો છો. હોમલોનમાં શરુઆતના વર્ષોમાં વ્યાજદર વધુ કપાતું હોવાથી લાંબાગાળે ઓછા દરવાળી બેંકમાં શિફ્ટ થવાથી ફાયદો થાય છે એવું નિષ્ણાંતો માને છે.
કોરોનાના સમયગાળાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક દ્વારા રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જેથી માર્કેટને બૂસ્ટ મળે અને પ્રોત્સાહન મળે. હાલમાં માર્કેટની સ્થિતિ સામાન્ય થતાં હોમલોનનો વ્યાજદર સરેરાશ 8.5 ટકાથી 9 ટકાએ જોવા મળે છે.
Advertisement