ગાંધીનગર: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી 3 હજાર કિલોમીટર કરતા વધુની ભારત જોડો યાત્રા પુરી કરી લીધી છે. રાહુલ ગાંધીએ 29 જાન્યુઆરીએ શ્રીનગરના લાલ ચોક પર તિરંગો ફરકાવીને પદયાત્રા પુરી કરી હતી. તે બાદ સંસદના બજેટ સત્રમાં હાજર રહીને અદાણીને લઇને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. જે બાદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીને લઇને વિવાદિત ટિપ્પણી કરીને નવો વિવાદ ઉભો કર્યો છે.
Advertisement
Advertisement
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટમાં લખ્યું, “હવે એક વાત કન્ફર્મ થઈ ગઈ છે.. તમે 3000 કિલોમીટરની પદયાત્રા કરો તો પણ તમારી દાઢી વધે છે, તમારી બુદ્ધિ નહીં..! સંઘવીના આ ટ્વિટ પછી ભાજપ અને કોંગ્રેસમાં યુદ્ધ સોશિયલ મીડિયા પર શાબ્દિક પ્રહારની શરૂઆત થઈ ગઈ છે.
કોંગ્રેસે સંઘવી પર નિશાન સાધ્યું
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ હર્ષ સંઘવીના ટ્વીટને રીટ્વીટ કરીને લખ્યું કે, ‘હવે એક વાત કન્ફર્મ થઈ ગઈ છે, ભલે તમે આઠમું પાસ હો અને મગજ ન હોય, પરંતુ તમે ભાજપ સરકારમાં ગૃહમંત્રી બની શકો છો.’ આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ લખ્યું કે હવે એક વાત કન્ફર્મ થઈ ગઈ છે..! ગુજરાતમાં ચાલી રહેલી લિંચિંગ, કરોડોના ડ્રગ્સનો વેપાર, ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરનાર અને બાળકીને બચાવવામાં નિષ્ફળ ગયેલા અન્ય લોકોની બુદ્ધિમત્તા વિશે લોકો અચાનક કયા મોઢે વાત કરે છે?
લોકો ટ્વીટર પર ટીકા કરવા લાગ્યા
આ ટ્વીટ માટે ગૃહમંત્રીની ટ્વિટર પર ભારે ટીકા થઈ રહી છે. લોકો લખી રહ્યા છે કે હવે તમે ખાતરી કરો કે આવનારા દિવસોમાં તમારું લાઈવ પેપર લીક ન થાય, અન્ય એક યુઝરે લખ્યું કે સીટો વધી છે પણ પરિસ્થિતિ સુધરી નથી, સોશિયલ મીડિયા યુઝર્સે હર્ષ સંઘવીના ટ્વીટને રિટ્વીટ કરીને ઘણી રીતે સવાલ પૂછી રહ્યા છે.
Advertisement