નામીબિયાથી લાવવામાં આવી રહેલા આઠ ચિત્તાને મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં લાવવામાં આવશે. ક્યારેક ચિત્તાનું ઘર રહેલા ભારતમાં આઝાદીના સમયે જ ચિત્તા વિલુપ્ત થઇ ગયા હતા. 1947માં દેશના અંતિમ ત્રણ ચિત્તાનો શિકાર મધ્ય પ્રદેશના કોરિયા રિયાસતના મહારાજા રામાનુજ પ્રતાપ સિંહ દેવે કર્યો હતો, તેની તસવીર પણ બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં છે, તે દિવસ પછીથી ભારતમાં ક્યારેય ચિત્તા જોવા મળ્યા નથી. હવે 75 વર્ષ પછી આઠ ચિત્તાને નામીબિયાથી લાવવામાં આવી રહ્યા છે.
Advertisement
Advertisement
એવામાં આજે અમે તમને ભારતમાં ચિત્તાના જીવનની પુરી કહાની જણાવીશુ. કેવી રીતે એક એક કરીને દેશના તમામ ચિત્તા વિલુપ્ત થઇ ગયા? ચિત્તાની ક્ષમતા શું છે? ભારત આવી રહેલા આઠ ચિત્તાની ખાસિયત શું છે? આવો આપણે જાણીયે.
કહાનીની શરૂઆત પૌરાણિક કાળથી કરીએ
12મી સદીના સંસ્કૃત દસ્તાવેજ મનસોલાસામાં સૌથી પહેલા ચિત્તાનો ઉલ્લેખ છે. સન 1127થી 1138 વચ્ચે શાસન દરમિયાન કલ્યાણી ચાલુક્ય શાસક સોમેશ્વરા તૃતીયે તૈયાર કરાવડાવ્યો હતો.
રાજા-મહારાજાના સમયે શું-શું થયુ?
કહેવામાં આવે છે કે ચિત્તા શબ્દ સંસ્કૃતના ચિત્રક શબ્દથી આવ્યો છે, જેનો અર્થ ચિત્તીદાર થાય છે. બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બીએનએચએસ)ના પૂર્વ ઉપાધ્યક્ષ દિવ્ય ભાનુ સિંહે ચિત્તાને લઇને એક પુસ્તક લખ્યુ છે, જેનું નામ ‘ધ એન્ડ ઓફ એ ટ્રેલ ધ ચિત્તા ઇન ઇન્ડિયા’ છે, તેમાં તેમણે જણાવ્યુ કે અલગ-અલગ રાજાઓના શાસનકાળમાં ચિત્તાની હાજરી જોવા મળી છે. કહેવામાં આવે છે કે 1556થી 1605 સુધી શાસન કરનારા મુગલ બાદશાહ અકબરના સમયમાં દેશમાં 10 હજારથી વધારે ચિત્તા હતા. અકબર પાસે પણ કેટલાક ચિત્તા રહેતા હતા, જેનો ઉપયોગ તે શિકાર માટે કરતા હતા. કેટલાક રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવે છે કે એકલા અકબર પાસે જ હજારથી વધારે ચિત્તા હતા.
અકબરના પુત્ર જહાંગીરે પાલાના પરગનામાં ચિત્તાની મદદથી 400થી વધારે હિરણનો શિકાર કરાવડાવ્યો હતો. અકબર જ નહી, મુગલકાળ અને તે બાદના તમામ રાજાઓએ શિકાર માટે ચિત્તાનો સહારો લેવાનું શરૂ કરી દીધુ છે. શિકાર માટે રાજા ચિત્તાને કેદ કરવા લાગ્યા હતા. એક રીતે શ્વાન-બિલાડી, ગાય અને અન્ય પાલતૂ જાનવરોની જેમ ચિત્તાને રાજા પાળતા હતા, જેને કારણે તેમના પ્રજનન દરમાં ઘટાડો થયો અને વસ્તી ઘટતી ગઇ.
20મી સદીની શરૂઆત સુધી ભારતીય ચિત્તાની વસ્તી ઘટીને 100ની અંદર આવી ગઇ હતી અને રાજકુમારોએ આફ્રિકન જાનવરોને આયાત કરવાના શરૂ કરી દીધા. 1918થી 1945 વચ્ચે લગભગ 200 ચિત્તા આયાત કરવામાં આવ્યા હતા. બ્રિટિશ સાસન દરમિયાન ચિત્તાનો જ શિકાર થવા લાગ્યો હતો.
આ રાજા પાસે હતા સફેદ ચિત્તા, શાહી શિકાર દરમિયાન થતો ઉપયોગ
1608માં ઓરછાના મહારાજા રાજા વીર સિંહ દેવ પાસે સફેદ ચિત્તા હતા. આ ચિત્તાના શરીર પર કાળાની જગ્યાએ બ્લૂ ડાગા હતા, જેનો ઉલ્લેખ પણ જહાંગીરે પોતાના પુસ્તક તુજુક-એ-જહાંગીરીમાં કર્યો છે. આ રીતનો એકમાત્ર ચિત્તો કહેવામાં આવે છે, તે ધીમે ધીમે ચિત્તાનો પણ શિકાર શરૂ થઇ ગયો. જે બચ્યા હતા, તે પણ રાજાઓ અને અંગ્રેજોના શોખે મારી નાખ્યા. અંગ્રેજોના સમયે ચિત્તાનો શિકાર કરવા પર ઇનામ મળતું હતું. ચિત્તાના બચ્ચાને મારવા માટે છ રૂપિયા અને વયસ્ક ચિત્તાને મારવા પર 12 રૂપિયાનું ઇનામ આપવામાં આવતુ હતુ.
આઝાદીના સમયે અંતિમ ત્રણ ચિત્તાનો પણ શિકાર થઇ ગયો
આ વાત 1947-1948ના જ છે. કહેવામાં આવે છે કે ત્યારે દેશના અંતિમ ત્રણ ચિત્તાનો શિકાર થયો હતો. મધ્ય પ્રદેશના કોરિયા રિયાસત (હવે છત્તીસગઢમાં) મહારાજા રામાનુજ પ્રતાપ સિંહ દેવે આ શિકાર કર્યો હતો. કહેવામાં આવે છે કે આ દરમિયાન ગામના લોકોએ રાજાને ફરિયાદ કરી કે કોઇ જંગલી જાનવર તેમની ભેસોનો શિકાર કરી રહ્યો છે, ત્યારે રાજા જંગલમાં ગયા અને તેમણે ત્રણ ચિત્તાને ઠાર માર્યા હતા. આ ત્રણેય ચિત્તા દેશના અંતિમ ગણવામાં આવે છે, તે દિવસે બાદથી ભારતમાં ક્યારેય ચિત્તા જોવા મળ્યા નથી. કોરિયા પાસે જ એક રિયાસત હતી, જેનું નામ અંબિકારપુર છે. કહેવામાં આવે છે કે તેના રાજા રામાનુજ શરણ સિંહ દેવે પણ આશરે 1200થી વધારે સિંહનો શિકાર કર્યો હતો. વર્ષ 1952માં ભારત સરકારે ઓફિશિયલ રીતે દેશના ચિત્તાના વિલુપ્ત થવાની જાહેરાત કરી હતી.
હવે ચિત્તાની ખાસિયતની વાત
-
120 કિલોમીટરની ઝડપથી દોડી શકે છે ચિત્તા
-
ચિત્તા દર સેકન્ડમાં ચાર કૂદકા મારે છે, ચિત્તાની વધુમાં વધુ ઝડપ 120 કિમી પ્રતિ કલાકની હોઇ શકે છે. સૌથી ફાસ્ટ ઝડપ દરમિયાન ચિત્તા 23 ફૂટ એટલે કે આશરે સાત મીટર લાંબી છલાંગ લગાવી શકે છે
-
ચિત્તાની રેકોર્ડ ઝડપ વધુમાં વધુ એક મિનિટ માટે રહી શકે છે. આ પોતાની ફૂલ સ્પીડથી માત્ર 450 મીટર દૂર સુધી જ દોડી શકે છે
-
ચિત્તા સિંહ, વાઘ, દીપડાની તુલનામાં ઘણો નાનો હોય છે, જેનાથી ઝડપ દરમિયાન તેના માથાથી ટકરાનારી હવાનું દબાણ ઘણુ ઓછુ થઇ જાય છે
નામીબિયાથી આવી રહ્યા છે આઠ ચિત્તા
દક્ષિણ આફ્રિકાના નામીબિયાથી આવી રહેલા ચિત્તામાં પાંચ માદા અને ત્રણ નર છે, તેની તસવીર પણ સામે આવી ચુકી છે. ચિત્તાની ઉંમર અઢીથી સાડા પાંચ વર્ષ વચ્ચે છે. આ જાણકારી પણ સામે આવી શકે છે કે આઠ ચિત્તામાં બે સગા ભાઇ પણ સામેલ છે. ચિત્તાના પ્રોજેક્ટમાં સામેલ એક એજન્સી ચિત્તા સંરક્ષણ કોષ પાસેથી મળેલી જાણકારી અનુસાર આ ચિત્તામાં ત્રણ નર છે જ્યારે પાંચ માદા છે. એક ચિત્તાની ઉંમર 12 વર્ષ પણ કહેવામાં આવી રહી છે.
Advertisement