મુંબઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઇમાં દાઉદી વહોરા (Dawoodi Bohra) સમુદાયના ‘અરબી એકેડમી’નું ઉદ્દઘાટન કર્યુ હતુ. આ દરમિયાન તે સમાજમાં સર્વોચ્ચ ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદીનનો હાથ પકડતા જોવા મળ્યા હતા અને સમાજને પોતાનો પરિવાર ગણાવ્યો હતો.
Advertisement
Advertisement
વડાપ્રધાન મોદીના આ પગલાને દાઉદી વહોરા સમાજ સાથે નજીક આવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે. આવો જાણીયે કોણ છે દાઉદી વહોરા અને વડાપ્રધાનના આ પ્રયાસને રાજનીતિ સાથે કેમ જોડવામાં આવી રહ્યું છે.
સૌથી પહેલા જાણો કોણ છે વહોરા સમાજ?
વહોરા સમાજ એક મુસ્લિમ પંથ છે, જે ફાતિમી ઇમામો સાથે જોડાયેલો છે, જેમણે પયગમ્બર મોહમ્મદના વંશજ માનવામાં આવે છે. પહેલા ઇમામ આ સમાજના સર્વોચ્ચ ધાર્મિક નેતા હતા પરંતુ 21માં ઇમામ તૈયબ અબુલ કાસિમના મોત બાદ આ પરંપરાને ખતમ કરી દેવામાં આવી અને 1132થી આધ્યાત્મિક ગુરૂઓની પરંપરા શરૂ કરવામાં આવી.
આ ગુરૂઓને ‘દાઈ-અલ-મુતલક-સૈયદના’ નામ આપવામાં આવ્યુ, જેમણો અર્થ હોય છે સર્વોચ્ચ સત્તા, તેમના આદેશને સર્વોપરિ માનવામાં આવે છે.
ભારતમાં કેવી રીતે પહોચ્યા વહોરા?
વહોરાથી દાઉદી વહોરા બનવાની કહાની સમજ્યા પહેલા તેમના ભારતમાં સ્થાપિત થવાનો ઇતિહાસ જાણવો પડશે. આ સમાજ ધર્મ પ્રચારકો દ્વારા 11મી સદીમાં ઇજિપ્તથી ગુજરાત આવ્યા હતા. તેમના નામની ઉત્પતિનો પણ ભારત સાથે સબંધ છે. વહોરા ગુજરાતી શબ્દ ‘બહૌરાઉ’નું બગડેલુ રૂપ છે, જેનો અર્થ વેપાર થાય છે.
જ્યારે ભારતમાં આ સમાજનો વિસ્તાર થવા લાગ્યો તો 1539માં તેનું કાર્યાલય યમનથી ગુજરાતના સિદ્ધપુર આવી ગયુ હતુ.
વહોરાથી દાઉદી વહોરા કેવી રીતે બન્યા?
વહોરા સમાજના 30માં સૈયદનાની 1588માં મોત બાદ તેમની ગાદીને લઇને તેમના વંશજ દાઉદ બિન કુતુબ શાહ અને સુલેમાન શાહ વચ્ચે વિવાદ થયો હતો, જે બાદ સમાજમાં બે જૂથ બની ગયા હતા.
દાઉદીના અનુયાયીઓને દાઉદી વહોરા કહેવામાં આવ્યા જ્યારે સુલેમાનના સમર્થક સુલેમાની વહોરા બની ગયા. વિભાજનના કેટલાક સમય પછી સુલેમાની વહોરા પોતાની ઓફિસ પરત યમન લઇ ગયા, જ્યારે દાઉદી વહોરા સમાજે મુંબઇને પોતાનું કાર્યાલય બનાવ્યુ હતુ.
દાઉદી અને સુલેમાની વહોરાના ધાર્મિક સિદ્ધાંતોમાં શું અંતર છે?
દાઉદી અને સુલેમાની વહોરાની ધાર્મિક માન્યતાઓમાં ખાસ અંતર નથી અને બન્ને સૂફિયોમાં ખાસ આસ્થા ધરાવે છે. સુલેમાની હનફી ઇસ્લામિક કાયદાનું પાલન કરે છે જ્યારે દાઉદી વહોરાની ઇસ્લાઇલી શિયા સમાજમાં આસ્થા છે અને દાઇમ-ઉલ-ઇસ્લામના નિયમને માને છે.
દાઉદી વહોરા સમાજની છબી કેવી છે?
દાઉદી વહોરા સમાજ શિક્ષિત, મહેનતી, સમૃદ્ધ અને વેપારી સ્વભાવના માનવામાં આવે છે. જીવનશૈલી મામલે આ સમાજ આધુનિક જ છે પરંતુ ધર્મ મામલે તેના વિચાર ઘણી હદ સુધી રૂઢિવાદી છે.
સમાજ પોતાના ધર્મગુરૂ એટલે કે સૈયદના પ્રત્યે પુરી રીતે સમર્પિત છે અને નિયમોનું ઉલ્લંઘન કરવા પર વ્યક્તિને સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવે છે. સમાજમાં નાની બાળકીઓના ખતનાની કુપ્રથા પણ પ્રચલનમાં છે. જોકે, તેના વિરૂદ્ધ અવાજ પણ ઉભો થાય છે.
સૈયદના કેટલા શક્તિશાળી હોય છે?
સૈયદના દાઉદી વહોરા સમાજના સૌથી મોટા નેતા હોય છે અને તેમના આદેશને પુરી ઇમાનદારીની સાથે પાલન કરવામાં આવે છે.
સૈયદના ધાર્મિક ગુરૂની સાથે સાથે સમાજના તમામ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી પણ છે. આ ટ્રસ્ટોની કુલ સંપત્તિ 50,000 કરોડ રૂપિયાની આસપાસ બતાવવામાં આવે છે અને આ દૌલતને કારણે સૈયદના વૈભવી જીવન જીવે છે. સૈયદનાની નિયુક્તિ વંશવાદની પરંપરા હેઠળ કરવામાં આવે છે, જેની ટિકા પણ થાય છે.
ભારતમાં કેટલા દાઉદી વહોરા છે અને ક્યા રહે છે?
ભારતમાં દાઉદી વહોરા સમાજની વસ્તી લગભગ 20 લાખ છે અને કુલ મુસ્લિમ વસ્તીમાં તેમની 10 ટકા ભાગીદારી છે. દાઉદી સમાજ મુખ્ય રીતે ગુજરાત અને મહારાષ્ટ્રમાં રહે છે. જોકે, અન્ય જગ્યાએ પણ સમાજની કેટલીક વસ્તી રહે છે.
શહેરોના હિસાબની વાત કરીએ તો સૂરત, અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ, નવસારી, દાહોદ, ગોધરા, મુંબઇ, પૂણે, નાગપુર, ઓરંગાબાદ, ઉદયપુર, ભીલવાડા, ઇન્દોર, બુરહાનપુર, ઉજ્જેન, શાજાપુર, કોલકાતા, ચેન્નાઇ, બેંગલુરૂ અને હૈદરાબાદમાં સમાજના લોકો રહે છે.
વડાપ્રધાનની મુલાકાતનું રાજકીય મહત્વ કેમ કાઢવામાં આવે છે?
વડાપ્રધાન મોદી એવા સમયે દાઉદી વહોરા સમાજના કાર્યક્રમમાં સામેલ થયા છે, જ્યારે આવનારા કેટલાક મહિનામાં મુંબઇમાં બૃહદ મુંબઇ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણી યોજાવાની છે.
દાઉદી સમાજનો કેટલાક BMC વોર્ડ પર પ્રભાવ છે અને આ કારણે મોદીના આ કાર્યક્રમને રાજનીતિ સાથે જોડીને જોવામાં આવે છે. BMCમાં સત્તા પર શિવસેના પણ મુસ્લિમોને લુભાવવાના પ્રયાસમાં છે, જેને કારણે આમ કરવાનો અંદેશો છે.
વ્યાપક રાજનીતિ માટે કાર્યક્રમનું શું મહત્વ છે?
કાર્યક્રમના વ્યાપક રાજકીય મહત્વની વાત કરીએ તો ભાજપ પર અવાર નવાર મુસ્લિમ વિરોધી હોવાનો આરોપ લાગતો રહે છે, જેની કાટ માટે તે કેટલાક મુસ્લિમ સમાજની સાથે નજીક આવવામાં લાગેલા છે. દાઉદી સમાજ તેમાં સામેલ છે. પાર્ટીનું કહેવુ છે કે દાઉદી સમાજ સાથે તેમના સબંધ ઘણા જૂના છે. માનવામાં આવે છે કે ભાજપ આ કાર્યક્રમ દ્વારા આ મેસેજ આપવાનો પ્રયાસમાં છે કે તે મુસ્લિમો વિરૂદ્ધ નથી.
Advertisement