ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ચારેય ભાઇઓએ મુખાગ્નિ આપ્યો હતો. વડાપ્રધાનના માતા હીરાબાનું વહેલી સવારે 3.30 વાગ્યે નિધન થયુ હતુ. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગર સેક્ટર 30માં કરવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
#WATCH | Gandhinagar: Prime Minister Narendra Modi carries the mortal remains of his late mother Heeraben Modi who passed away at the age of 100, today. pic.twitter.com/CWcHm2C6xQ
— ANI (@ANI) December 30, 2022
આ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા લખ્યુ- શાનદાર સદીનો ઇશ્વરના ચરણોમાં વિરામ..માં મે હંમેશા તે ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કાર્મ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં આવેલી યૂએન મહેતા હૉસ્પિટલ દ્વારા શ્રીમતી હીરાબા મોદીનું યૂ.એન.મહેતા હૉસ્પિટલમાં 30-12-2022ના રોજ વહેલી સવારે 3.30 વાગ્યે નિધન થયુ હોવાની જાણકારી આપવામાં આવી હતી.
Advertisement