અમદાવાદ: ગુજરાતમાં ઝડપી વિકાસ ભાજપનો મંત્ર છે પરંતુ અમદાવાદમાં પાંચ વર્ષ પહેલા બનેલો એક બ્રિજ સત્તા પર રહેલી ભાજપ માટે માથાનો દુખાવો બની ગયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર હાટકેશ્વર ફ્લાઇ ઓવર બ્રિજને તોડવુ પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. આ બ્રિજને બનાવવામાં પાંચ વર્ષ જેટલો સમય લાગ્યો છે. આ બ્રિજ જ્યારે બનતો હતો ત્યારે દાવો કરવામાં આવતો હતો કે આ બ્રિજ 50 વર્ષ સુધી ચાલશે પરંતુ ખરાબ ગુણવત્તાના મટેરિયલના ઉપયોગથી આ બ્રિજ પાંચ વર્ષ પણ ચાલી શક્યો નથી. મહત્વપૂર્ણ છે કે હાટકેશ્વર બ્રિજનું 2021માં ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ અને એક જ વર્ષમાં 2022માં તેમાં લોખંડના ટેકા મુકવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
હાટકેશ્વર બ્રિજ છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં છે. શહેરના સ્થાનિક લોકોએ બ્રિજની શોકસભાનું આયોજન કર્યુ હતુ. આ બ્રિજનું નિર્માણ અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યુ હતુ અને ત્યારે AMCએ આ બ્રિજને છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ નામ આપ્યુ હતુ. લોકો વચ્ચે આ હાટકેશ્વર બ્રિજ તરીકે ઓળખાય છે.
સામાન્ય સ્તરની સામગ્રીનો ઉપયોગ થયો
છેલ્લા છ મહિનાથી બંધ પડેલા હાટકેશ્વર બ્રિજની તપાસમાં નબળી ગુણવત્તાની સામગ્રીના ઉપયોગનો ખુલાસો થયો છે. CIMEC લેબના ભ્રષ્ટાચારના ખુલાસા પછી મહાનગરપાલિકામાં સત્તા પર રહેલી ભાજપ બેકફુટ પર આવી ગઇ છે તો બીજી તરફ કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે આ બ્રિજનું નિર્માણ કરનારી કંપની વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ. કોંગ્રેસનો આરોપ છે કે છેલ્લા પાંચ વર્ષમાં આ બ્રિજનું છથી સાત વખત સમારકામ થઇ ચુક્યુ છે પરંતુ બ્રિજનું કામ પૂર્ણ થતુ નથી. અમદાવાદ મહાનગરપાલિકા IIT રૂરકીના રિપોર્ટની રાહ જોઇ રહ્યુ છે, તે પછી આ બ્રિજના ભવિષ્ય વિશે નિર્ણય કરવામાં આવશે. ગુજરાતના સૌથી મોટા શહેરમાં ભાજપ શાસનમાં બનેલા આ બ્રિજની એવી સ્થિતિ થઇ ગઇ છે કે નેતાઓ બોલવા માટે તૈયાર નથી. બ્રિજની ખરાબ સ્થિતિને લઇને કોંગ્રેસના સીનિયર નેતા અર્જૂન મોઢવાડિયાએ ટ્વીટ કરીને નિશાન સાધ્યુ છે.
"भ्रष्टाचार का अद्भुत मॉडल"
जीस ब्रिज को बनाने में 5 साल लगे, वह 5 साल भी नहीं टिका!
मकान की छतसे भी कम सीमेंट ब्रीज बनाने में इस्तेमाल किया गया है।
सबसे बड़ी बात,
ब्रिज बनाने वाली कंपनी को दुसरे ब्रिज बनाने का भी कॉन्ट्रैक्ट दिया जाता है।
Video: हाटकेश्वर, अहमदाबाद pic.twitter.com/Zwbz74TFiF
— Arjun Modhwadia (@arjunmodhwadia) February 27, 2023
મુખ્યમંત્રીએ અધિકારીઓને રિપોર્ટ સાથે બોલાવ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાટકેશ્વર બ્રિજની ગુણવત્તાને લઇને અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ. થેન્નારસન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને તમામ રિપોર્ટ સાથે બોલાવ્યા છે.
50.88 કરોડ રૂપિયાનો બ્રિજ
અમદાવાદના પૂર્વ ભાગમાં બનેલા આ બ્રિજના નિર્માણ પર 50.88 કરોડ રૂપિયાની રકમ ખર્ચ થઇ હતી. 563 મીટર લાંબા આ બ્રિજમાં સૌથી પહેલા પાંચથી છ મોટા ખાડા પડી ગયા હતા. તે પછી બ્રિજનો એક ભાગ નીચે તરફ ઝુકવા લાગ્યો હતો. તે પછી બ્રિજને બંધ કરવો પડ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકા તરફથી બે પ્રાઇવેટ લેબમાં બ્રિજની તપાસ કરાવવામાં આવી છે. જેમાં સામે આવ્યુ કે બ્રિજ માત્ર 20 ટકા જ મજબૂત છે.
વરસાદમાં બ્રિજની આવી સ્થિતિ થઇ જાય છે
બ્રિજની હલકી ગુણવત્તાને લઇને વિપક્ષ નેતાએ AMC પર પ્રહાર કર્યા
અમદાવાદ મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે હાટકેશ્વર બ્રિજની ગુણવત્તાને લઇને સત્તા પર રહેલી ભાજપ પર પ્રહાર કર્યા હતા. AMCમાં વિપક્ષના નેતાએ કહ્યુ, છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ બનાવવામાં ગુણવત્તા ધરાવતો ક્રોકેટ વાપરવામાં આવ્યો નથી. આ સાથે જ શહેજાદ ખાન પઠાણે એવો પણ આરોપ લગાવ્યો છે કે ચૂંટણી માથે હતી એટલે હાથે કરીને ભાજપે આ રિપોર્ટને દબાવી રાખ્યો હતો.
શું છે રિપોર્ટમાં?
હાટકેશ્વર બ્રિજમાં હલકી ક્વોલિટીનું મટેરિયલ વાપરવામાં આવ્યુ હોવાનું એક રિપોર્ટમાં જાણવા મળ્યુ છે. બ્રિજ પર પડેલા ગાબડા પછી તેના નમૂના રિપોર્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યુ કે M-45 ગ્રેડના બદલે M-25 ગ્રેડની ક્રોક્રેટ વાપરવામાં આવી હતી. લેબોરેટરી KCT અને CIMEDના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બ્રિજ બનાવતા સમયે હલકી ગુણવત્તાનો સામાન વાપરવામાં આવ્યો છે. આ રિપોર્ટ પછી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે અને પુલ દૂર્ઘટના જેવી મોટી હોનારત થવાનો ભય સતાવી રહ્યો છે.
Advertisement