નફરતી ભાષણ, દ્વેષપૂર્ણ ભાષણ, ઉશ્કેરણીજનક ભાષણ અથવા હેટ સ્પીચ… તમે છેલ્લા કેટલાક વર્ષોમાં આ શબ્દો અનેક વખત સાંભળ્યા હશે. કોઈ ચોક્કસ સમુદાય કે જાતિ વિરુદ્ધ નેતાઓના આવા નિવેદનો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જેના વિશે સુપ્રીમ કોર્ટે ઘણી વખત ફટકાર આપી છે અને ચિંતા વ્યક્ત કરી છે. હેટ સ્પીચનો મામલો હવે ફરી એકવાર ચર્ચામાં છે, કારણ કે સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા આઝમ ખાનને હેટ સ્પીચના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
Advertisement
Advertisement
અત્યાર સુધી તમે હેટ સ્પીચના મામલામાં કોર્ટની ફટકાર અથવા પોલીસ એફઆઈઆર વિશે ઘણું સાંભળ્યું હશે, પરંતુ આટલી મોટી સજાનો મામલો તમારી સામે ક્યારેય નથી આવ્યો. આનું સ્પષ્ટ કારણ એ છે કે નફરતી ભાષણના કેસ આગની જેમ વધી રહ્યા છે, પરંતુ દોષિત ઠેરવવાનો દર ઘણો ઓછો છે. આ અમે નહીં પણ આંકડા કહી રહ્યા છે.
NCRBના ચોંકાવનારા આંકડા
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના તાજેતરના રિપોર્ટમાં હેટ સ્પીચ ભાષણ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા સાત વર્ષમાં નફરત ફેલાવવાના સૌથી વધુ કેસ નોંધાયા છે. આવા કેસોમાં રેકોર્ડ 500% વધારો થયો છે. એનસીઆરબીના ડેટા અનુસાર, વર્ષ 2014માં સૌથી ઓછા 323 નફરત ફેલાવવાના કેસ નોંધાયા હતા, જે વર્ષ 2020માં વધીને 1804 થઈ ગયા હતા. આ હેટ સ્પીચના સૌથી વધુ કેસો છે. નોંધનીય છે કે આ એવા કિસ્સા છે જે પોલીસમાં નોંધાયેલા છે, ઘણા કેસમાં તો ફરિયાદ પોલીસ સુધી પણ પહોંચતી પણ નથી.
મોટા ભાગના કેસ રાજકારણીઓ સામે છે
હેટ સ્પીચ અને રાજકારણીઓનો જૂનો સંબંધ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રાજકારણીઓએ રાજકીય લાભ ઉઠાવવા માટે તેનો ખુબ જ ઉપયોગ કર્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા 2018ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે દેશના 58 ધારાસભ્યો અને સાંસદોએ સ્વીકાર્યું છે કે તેમની વિરુદ્ધ નફરતભર્યા ભાષણના કેસ છે. જેમાં ભાજપના નેતાઓ સૌથી વધુ સંખ્યામાં છે. ભાજપના 17 ધારાસભ્યો અને 10 સાંસદો સામે હેટ સ્પીચના કેસ થયેલા છે.
હેટ સ્પીચ પર શું છે કાયદો?
હેટ સ્પીચ જે હોય છે જેમાં કોઈ ખાસ ધર્મના લોકો અથવા સમુદાય અથવા ખાસ વર્ગ વિરૂદ્ધ હિંસા, જાતિ, ધર્મ અને લિંગ સંબંધી કોઈ ટિપ્પણી કરવામાં આવે છે. ખાસ વાત તે છે કે હેટ સ્પીચ પર કોઈ વિશેષ કાયદો બનાવવામાં આવ્યો નથી. નફરત અને હિંસા ફેલાવવા સંબંધી ધારાઓ હેઠળ સ્પીચ બાબતોમાં કેસ નોંધવામાં આવે છે. ભારતીય દંડ સહિતાની ધારા 153 અને 295એ હેઠળ આને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જેમાં હિંસા અને રમખાણો કરાવવા અને ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના બધા જ ગુન્હા નોંધાયેલા છે. જો હેટ સ્પીચ ઓનલાઇન રીતે થઇ છે અથવા સોશિયલ મીડિયા દ્વારા હેટ સ્પીચનો કેસ આવે છે તો આને આઈટી એક્ટના સેક્શન 66એ હેઠળ નોંધવામાં આવે છે.
સૌથી મહત્વની વાત એ છે કે આ કલમ હેઠળ નોંધાયેલા કુલ કેસોમાં કન્વેયન્સ રેટ ખૂબ જ ઓછો છે. એટલે કે, કેસ નોંધાય છે, પરંતુ આરોપી દોષિત સાબિત થતો નથી. 2016 થી 2020 સુધી હેટ સ્પીચ કેસોમાં કન્વેયન્સ રેટ માત્ર 20 ટકા રહ્યો છે.
કન્વીક્શન પર એક્સપર્ટે આપ્યો જવાબ
હેટ સ્પીચના આ સમગ્ર મામલાને લઈને દેશના પૂર્વ ASG, બંધારણીય નિષ્ણાત અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કેસી કૌશિકે જણાવ્યું કે, જો તમે કોઈ ખાસ સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવાનું કામ કરો છો તો તેમાં કોઈની પણ વિરુદ્ધ કેસ નોંધાઇ છે અને સજા પણ થઈ શકે છે. જો હું કન્વેયન્સ રેટ વિશે વાત કરું તો મારો 40 વર્ષનો અનુભવ કહે છે કે આમાં પ્રેક્ટિકલી રીતે શૂન્ય છે.
પૂર્વ એએસજી કૌશિક હેટ સ્પીચને સમજાવતા આગળ કહ્યું કે, સામાન્ય રીતે ચૂંટણી સમયે હેટ સ્પીચના વધારે કેસ સામે આવે છે. આ બધા જ કેસ ચૂંટણી પંચમાં જાય છે અને તેઓ ચેતવણી આપીને નેતાઓને છોડી દે છે. નેતાઓ પર 4 અથવા 10 દિવસ સુધી પબ્લિકમાં રેલીમાં જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે અને તેનાથી વધારે કંઇ થતું નથી. તે ઉપરાંત જો આવા કેસ કોર્ટમાં જાય છે તો નીચલી અદાલતમાં જ તેનો નિપટારો લાવી દેવામાં આવતો હોય છે.
સુપ્રીમ કોર્ટની ફટકારની કેટલી અસર?
સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે, તમામ મોટા નેતાઓની હેટ સ્પીચને લઈને રાજકીય કારણોસર પોલીસ સીધો કેસ નોંધતી નથી, પરંતુ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ફટકાર લગાવે છે. કેટલાક દિવસો પહેલા જ સુપ્રીમ કોર્ટે એક આવા જ કેસ પર સુનાવણી કરતાં રાજ્યોની પોલીસને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, હેટ સ્પીચ પર કડક કાર્યવાહી કરવામાં આવે, પછી તે વ્યક્તિ કોઈપણ ધર્મ સાથે જોડાયેલો કેમ ના હોય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ધર્મના નામ પર આપણે ક્યાં પહોંચી ગયા છીએ. તે અરજીમાં બીજેપી સાંસદ પ્રવેશ વર્મા અને હિન્દૂ સભાના આયોજનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટેની કડક ટિપ્પણીઓની પણ કંઇ ખાસ અસર જોવા મળી રહી નથી.
સુપ્રીમ કોર્ટની ચેતવણીભરી અને કડક ટિપ્પણીઓ છતાં હેટ સ્પીચના વધતા કેસ અને ઓછા કન્વેક્શન રેટ પર જ્યારે કેસી કૌશિકને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમને કહ્યું, મારૂ માનવું છે કે જે ન્યાયમૂર્તિ છે, તે પછી હાઇકોર્ટના હોય કે સુપ્રીમ કોર્ટના, તેમની કલમમાં અસલી શક્તિ છે. જે તેમને કહેવું છે તેઓ તેમની કલમથી કહે. એટલે કે આને તેઓ પોતાના ઓર્ડરમાં પણ લખે. માત્ર મૌખિક ટિપ્પણીથી કંટ્રોવર્સી સિવાય કંઇજ ફરક પડશે નહીં. હેટ સ્પીચ પર ટીકા-ટિપ્પણીને મીડિયામાં ખુબ જ બતાવવામાં આવે છે પરંતુ કોઈને પણ આનો ફાયદો થતો નથી.
આઝમ ખાન પર આવેલા નિર્ણયને લઈને પૂર્વ એએસજી કૌશિકે કહ્યું કે, મેં કોર્ટના 40 વર્ષના પોતાના કરિયરમાં હેટ સ્પીચના કોઈ કેસમાં ત્રણ વર્ષની સજાનો મામલો દેખ્યો નથી.
Advertisement