નવી દિલ્હી: નવી દિલ્હી સ્થિત બિન-લાભકારી સંસ્થા ટોક્સિક્સ લિંક દ્વારા કરવામાં આવેલા રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ભારતમાં વેચાતા સેનિટરી નેપકિન્સની મોટાભાગની લોકપ્રિય બ્રાન્ડ્સમાં હાનિકારક રસાયણો હોય છે.
Advertisement
Advertisement
સોમવાર, 21 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દેશમાં આ રસાયણોના ઉપયોગને મર્યાદિત કરવા માટે કોઈ ફરજિયાત નિયમનની ગેરહાજરીમાં ઉત્પાદકો ભાગ્યે જ આ રસાયણોની મહિલાઓના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની પ્રતિકૂળ અસરો તરફ ધ્યાન આપે છે.
‘રેપ્ડ ઇન સિક્રસી’ શીર્ષક ધરાવતા આ અહેવાલમાં સંશોધકોએ બે વિશિષ્ટ રસાયણો – થેલેટ્સ અને અસ્થિર કાર્બનિક સંયોજનો (VOCs)ની હાજરી શોધવા માટે હાથ ધરેલી વિગતવાર તપાસમાં સામે આવ્યું છે.
થેલેટ્સ નો ઉપયોગ વિવિધ ઉત્પાદનોમાં પ્લાસ્ટિસાઇઝર તરીકે થાય છે. પ્લાસ્ટિસાઇઝર્સ એ રસાયણો છે જેનો ઉપયોગ ઉત્પાદનને નરમ, લવચીક બનાવવા અને સપાટી પરના ઘર્ષણને ઘટાડવા માટે થાય છે. આને લગભગ એક સદીથી વિવિધ પ્લાસ્ટિક ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાય છે.
રિપોર્ટના લેખકો દાવો કરે છે કે સેનિટરી પેડ્સમાં તેનો ઉપયોગ તેમના વિવિધ સ્તરોને બાંધવા અને તેમની સ્થિતિસ્થાપકતા વધારવા માટે કરવામાં આવે છે. સંશોધકોએ બજારમાં ઉપલબ્ધ 10 વિવિધ પ્રકારના સેનિટરી પેડ્સ – ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક -નું પરીક્ષણ કર્યું. તેઓએ રિપોર્ટમાં આ દરેક ઉત્પાદનો માટે થેલેટ્સ અને VOCsનો જથ્થો અલગ-અલગ રજૂ કર્યો છે.
અહેવાલો સૂચવે છે કે ભારતમાં સૌથી વધુ વેચાતા સેનિટરી પેડ્સમાંથી બેમાં છ પ્રકારના થેલેટ્સ છે. ફેથલેટ્સની કુલ માત્રા 10 થી 19,600 માઇક્રોગ્રામ પ્રતિ કિલોગ્રામ સુધીની છે અને આ ઉત્પાદનોમાં કુલ 12 વિવિધ પ્રકારના થેલેટ્સ મળી આવ્યા હતા.
વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસોને ટાંકીને રિપોર્ટમાં ઘણા સ્વાસ્થ્ય અંગેના ખતરાઓ સામે ઇશારો કરવામાં આવ્યો છે જે થેલેટ્સ થકી થઇ શકે છે. આમાં એન્ડોમેટ્રિઓસિસ, ગર્ભાવસ્થા સંબંધિત જટિલતાઓ, ગર્ભના વિકાસની સમસ્યાઓ, ઇન્સ્યુલિન પ્રતિકાર, હાઈ બ્લડ પ્રેશર જેવી ઘણી સમસ્યાઓનો સમાવેશ થાય છે. જો કે આ રિપોર્ટમાં એ જણાવવામાં આવ્યું નથી કે તેની અસર કેટલી સ્પષ્ટ થઈ શકે છે.
રિપોર્ટના લેખકોમાંના એક પ્રીતિ મહેશે જણાવ્યું હતું કે આ દસ્તાવેજ કોઈપણ રીતે એવો દાવો કરતું નથી કે માત્ર સેનિટરી પેડ્સ જ વ્યક્તિને થેલેટ્સના સંપર્કમાં લાવે છે. તેમણે કહ્યું, ‘આવી રીતના ખતરાઓ અન્ય ઘણી રીતે પણ શક્ય છે, પરંતુ યોનિમાર્ગની પેશીઓની ત્વચા બાકીના પેશીઓ કરતાં વધુ સંવેદનશીલ હોય છે.’
જ્યારે પૂછવામાં આવ્યું કે શું થેલેટ્સનો કોઈ વિકલ્પ નથી, ત્યારે પ્રીતિ જે ટોક્સિક્સ લિંકના મુખ્ય પ્રોગ્રામ કોઓર્ડિનેટર પણ છે, તેમણે ધ કહ્યું કે, “છે, પરંતુ થેલેટ્સ સૌથી સહેલાઈથી ઉપલબ્ધ છે. કોઈ નિયમન ન હોવાથી અન્ય વિકલ્પો પર વિચાર કરવા માટે ઉદ્યોગો તરફથી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “થેલેટ્સ માટે અવેજી ઉત્પાદન પ્રક્રિયામાં ફેરફાર કરશે કે પછી પેડ્સમાંથી તેને દૂર કરવાથી તેમની મૂળભૂત કાર્યક્ષમતાને અસર થશે – આ બે પ્રશ્નો છે જેનાથી ઉદ્યોગ ઝઝૂમી રહ્યો છે.”
રિપોર્ટ બહાર પાડતા પહેલા ટોક્સિક્સ લિંક્સ (ToxicsLynx)એ આ કંપનીઓને પત્ર લખ્યો ન હતો. પ્રીતિ મહેશે કહ્યું કે રિપોર્ટ જાહેર થયા બાદ હવે કરશે.
સેનિટરી પેડ્સમાં થેલેટ્સની હાજરી અન્ય ઘણા અભ્યાસોમાં પણ પ્રકાશિત કરવામાં આવી છે, પરંતુ લગભગ તમામ અભ્યાસો ભારતની બહાર વેચવામાં આવતા ઉત્પાદનો માટે કરવામાં આવ્યા હતા. 2020 માં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં વેચાતા પેડ્સમાં આ હાનિકારક રસાયણોની હાજરીનો ખુલાસો થયો હતો. 2020 માં પ્રકાશિત થયેલ અન્ય એક અભ્યાસમાં ચીનમાં વેચાતા માસિક ઉત્પાદનો માટે સમાન તારણો મળ્યાં છે. આ બે અભ્યાસ ઉપરાંત આવા અનેક અભ્યાસોને રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.
અહેવાલના લેખકોએ સ્પષ્ટતા કરી હતી કે પરીક્ષણ કરાયેલા તમામ નમૂનાઓમાં હાજર થેલેટ્સ યુરોપિયન યુનિયન દ્વારા નિર્ધારિત મર્યાદામાં હતા.
VOCs નેપકિન્સમાં જોવા મળતું ચિંતાજનક રસાયણ પણ છે. આ રસાયણો હવામાં સરળતાથી બાષ્પીભવન થાય છે. તેનો ઉપયોગ મોટાભાગે પેઇન્ટ, ડિઓડોરન્ટ્સ, એર ફ્રેશનર્સ, નેઇલ પોલિશ, જંતુનાશકો, ઇંધણ અને ઓટોમોટિવ ઉત્પાદનોમાં થાય છે અને તેમાંથી કેટલાક સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર કરી શકે છે. રિપોર્ટના લેખકોનું કહેવું છે કે સેનિટરી નેપકિન્સમાં તેનો ઉપયોગ સુગંધ માટે થાય છે.
25 પ્રકારના VOC માટે દસ સેનિટરી નેપકીન ઉત્પાદનોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ 25 VOCsમાંથી મગજના કાર્યને પ્રભાવિત કરવાથી લઈને ત્વચામાં બળતરા, એનિમિયા, લીવર અને કિડનીની ખામીથી લઈને થાક અને બેહોશી સુધીની ઘણી હાનિકારક અસરો જોવા મળી શકે છે.
ToxicsLink સંશોધકોએ પરીક્ષણ કરેલ તમામ ઉત્પાદનોમાં વજન દ્વારા 1-690 માઇક્રોગ્રામ પ્રતિ કિલોગ્રામ [ઉત્પાદન] ની રેન્જમાં VOCs શોધી કાઢ્યા. સૌથી વધુ લોકપ્રિય ઉત્પાદનોમાંથી બેમાં 14 VOC હોવાનું જાણવા મળ્યું હતું. કેટલાક ઓર્ગેનિક પેડ્સમાં અકાર્બનિક પેડ્સ કરતાં વધુ VOC હોવાનું જણાયું હતું.
બીજી વખત સેનિટરી નેપકિન્સમાં VOC ની હાજરી માટે ચકાસવા માટેનો આ પહેલો અભ્યાસ ન હતો, પરંતુ અગાઉના તમામ અભ્યાસો ભારતની બહાર વેચાતા ઉત્પાદનો પર કરવામાં આવ્યા હતા. 2020 માં પ્રકાશિત થયેલ એક અભ્યાસ યુ.એસ.માં કરવામાં આવ્યો હતો, જેમાં પરીક્ષણ કરાયેલ તમામ સ્ત્રી સ્વચ્છતા ઉત્પાદનોમાં VOCs જોવા મળે છે. આ રિપોર્ટમાં આવા ઘણા વધુ અભ્યાસો પણ ટાંકવામાં આવ્યા છે.
2017 માં દક્ષિણ કોરિયામાં મહિલાઓના એક મોટા જૂથે નેપકિન બનાવતી ફર્મ સામે કથિત રીતે VOCનો ઉપયોગ કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના આંદોલનના પરિણામે બજારમાંથી ઉત્પાદન પરત ખેંચી લેવામાં આવી હતી. યુ.એસ.માં મહિલાઓના અન્ય જૂથે 2014 માં શરૂ કરાયેલી તપાસમાં સમાન તારણો બહાર પાડ્યા હતા.
કાનૂની છટકબારીઓ
સેનિટરી ઉત્પાદનોમાં રસાયણોની હાજરીને નિયંત્રિત કરતા કાયદાઓ વિશ્વભરમાં મોટાભાગે નબળા છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના નિયમો પણ આ ઉત્પાદનો માટે ફરજિયાત નથી. ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને ચીનમાં સુધારા સંશોધન થઇ શકે તેમ છે. માત્ર યુરોપિયન યુનિયન (EU) અને દક્ષિણ કોરિયામાં જ કેટલાક કાયદેસર બંધનકર્તા નિયમો છે. યુરોપિયન યુનિયનમાં પ્લાસ્ટિકાઇઝ્ડ સામગ્રીના વજન દ્વારા થેલેટ્સ 0.1% સુધી મર્યાદિત રાખવાની ભલામણ કરે છે. દક્ષિણ કોરિયામાં તેમના પર પ્રતિબંધ છે.
સેનિટરી ઉત્પાદનોમાં રસાયણોની હાજરીને નિયંત્રિત કરવા માટે ભારતમાં કોઈ કાયદો નથી. બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) 1980 એ શોષક સપાટી અને પેડની રચના માટે ખૂબ જ મૂળભૂત પરીક્ષણ મૂકે છે, પરંતુ ઉપયોગમાં લેવાતા ઘટકોની ઝેરીતા ચકાસવા માટે કોઈ શરતો અથવા પ્રક્રિયાઓ મૂકતી નથી.
BIS આજની તારીખમાં જે પણ ધોરણો નક્કી કરે છે, તેનું રસાયણો સાથે કોઈ લેવાદેવા નથી અને તે ફરજિયાત પણ નથી.
પ્રીતિ કહે છે, “અમારા તારણો સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર માટે પ્રમાણભૂત બનાવવા અને તેને ફરજિયાત બનાવવાનો સમય આવી ગયો છે.”
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ ધોરણો ચોક્કસ મર્યાદામાં તેમની હાજરીથી લઈને તેમના પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકે છે. પ્રીતિએ કહ્યું, ‘પરંતુ આવું કંઈ કરવા માટે સરકારે પહેલા અભ્યાસ કરવો પડશે. અમારા અભ્યાસમાં માત્ર બે રસાયણો અને થોડા ઉત્પાદનોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સરકારને તમામ રસાયણો અને તમામ સેનિટરી ઉત્પાદનો માટે ડેટાની જરૂરત પડશે.
પ્રીતિ જે અન્ય ભલામણ કરે છે, જે વિવિધ મહિલા જૂથોની માગણીઓ સમાન છે, તે એ છે કે આ ઉત્પાદનોને ‘લેબલ’ કરવા જોઈએ. આજે, ભારતીય બજારમાં ઉપલબ્ધ કોઈપણ સેનિટરી પ્રોડક્ટ્સ પર એવું લેબલ નથી કે તેમાં થેલેટ્સ અને VOC છે. પ્રીતિ કહે છે, ‘ઓછામાં ઓછું અમને જાણવાનો અધિકાર છે.’
જ્યારે તેણીને પૂછવામાં આવ્યું કે શું તેણીને ચિંતા નથી કે રિપોર્ટમાં સેનિટરી નેપકિન્સ ખરાબ રીતે ચિત્રરવામાં આવી શકે છે અને મહિલાઓને તેનો ઉપયોગ કરવાથી નિરુત્સાહિત કરી શકે છે, તો તેનો જવાબ આપતા તેમણે કહ્યું, “અમે ક્યારેય એવો દાવો કર્યો નથી કે સેનિટરી નેપકિન્સની સરખામણીમાં અન્ય કોઈ સેનિટરી પ્રોડક્ટ સારી છે કે નહીં. તેમાં રસાયણો હોઈ પણ શકે કે અને ન પણ હોય, આ પણ એક તપાસનો વિષય છે.
તેમણે ઉમેર્યું, ‘અમે આ અભ્યાસ દ્વારા જે ઈચ્છીએ છીએ તે આ લગભગ સંપૂર્ણપણે ઉપેક્ષિત વિષય વિશે ચર્ચા શરૂ કરવાની છે.’
Advertisement