દેહરાદૂન: ઉત્તરાખંડના બનભૂલપુરામાં રેલ્વેના અતિક્રમણ અભિયાનને લઇને વિરોધ પ્રદર્શન થઇ રહ્યુ છે. આ વચ્ચે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે મુખ્યમંત્રી પુષ્કર ધામીને ખુલ્લો પત્ર લખ્યો છે, તેમણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. હરીશ રાવતે સીએમને અપીલ કરી છે કે કાયદાકીય પક્ષથી અલગ માનવીય દ્રષ્ટિકોણથી આ ઘટનાનો કોઇ વચ્ચેનો રસ્તો કાઢવો જોઇએ, તેમણે સવાલ પણ કર્યો કે જો 50 હજારથી વધુ લોકોને હટાવવામાં આવશે તો આ લોકો ક્યા જશે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યના નેતૃત્વમાં આ ઘટનાને લઇને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓના પક્ષમાં સલમાન ખુરશીદ કોર્ટમાં કાયદાકીય લડાઇ લડશે.
Advertisement
Advertisement
હરીશ રાવતે સીએમ પુષ્કર ધામીને ફેસબુક પર આ ઇ-પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યુ, ‘ઢોલક વસ્તી, વનભૂલપુરા જેવા સ્થળો પર વર્ષોથી વસેલા લોકોને હટાવવાનો રેલ્વે, તંત્ર અને નગરપાલિકાનો નિર્ણય માત્ર કાયદાકીય પક્ષ નથી. આ એક માનવીય પક્ષ પણ છે. હલદાની કુમાઉં અને ઉત્તરાખંડની આર્થિક ગતિવિધિનું મુખ્ય કેન્દ્ર છે. અહીનો સામાજિદ સોહાર્દ હંમેશા ઉચ્ચ સ્તરનો રહ્યો છે. જો 50 હજારથી વધુ લોકો પોતાના રહેણાંક મકાન અને ઝુંપડીમાંથી હટાવવામાં આવે તો તે ક્યા જશે?
माननीय मुख्यमंत्री उत्तराखंड को मेरा पत्र "ई पत्र"
माननीय मुख्यमंत्री जी, ढोलक बस्ती, वनभूलपुरा आदि…https://t.co/bJsFKnAfnY.. सार्वजनिक रूप से आपसे अपील करता हूं।
धन्यवाद,
आपका,
हरीश रावत#uttarakhand @pushkardhami pic.twitter.com/stCHdVM71A— Harish Rawat (@harishrawatcmuk) December 31, 2022
હરીશ રાવતે કહ્યુ કે એક અશાંતિનું વાતાવરણ આખા હલદાનીમાં અને કુમાઉંમાં ફેલાશે. સોહાર્દ તૂટશે અને જે રાજ્યનો માનવીય પક્ષ છે, જે આપણા નાગરિક છે તેમણે છત મળે તેની પર અસર થશે. રાજ્યના લોકો સવાલ કરશે? આ કડકડતી ઠંડમાં તમે માત્ર કાયદાકીય પક્ષને જોઇને અથવા કાયદાના ખોટા ઇંટરપ્રિટેશનના આધાર પર 50 હજાર લોકો પાસેથી તેમની છત છીનવી લીધી છે, તેમની આજીવિકા સમાપ્ત કરી નાખી છે. આપણા રાજ્યની તસવીર પર પણ તેની અસર પડશે. કેટલાક લોકો આજે ભલે ચુપ હોય પરંતુ જ્યારે સ્થિતિ બગડશે તો તે લોકો પણ સરકારના વિવેક પર આંગળી ઉઠાવશે.
રાવતે કહ્યુ કે હું ન્યાયિક નિર્ણય પર કોઇ ટિપ્પણી નથી કરવા માંગતો પરંતુ હું રાજ્યના મુખ્યમંત્રી તરીકે એક ગાર્જિયનના રૂપમાં જે તમારૂ કર્તવ્ય છે, તેના આધાર પર તમારી પાસે અપેક્ષા કરૂ છુ કે તમે આ મામલે માનવીય દ્રષ્ટિકોણને જુવો અને તેનું સમાધાન કાઢો. લોકો સાથે વાતચીત કરો. રેલ્વે સાથે પણ વાતચીત કરો, તેમણે કહ્યુ કે ગોળાના કિનારે કિનારે રિવરફ્રન્ટ ડેવલપ કરવાની કેટલીક વદારાની જમીન કાઢીને રેલ્વેની જરૂરીયાતને કેવી રીતે પૂર્ણ કરી શકાય અને કેવી રીતે લોકોના ઘર વસી શકે, તેનો રસ્તો શોધવો જોઇએ. જે ઉત્તરાખંડના નાગરિક છે, તેમના પ્રત્યે આપણા બધાનું માનવીય કર્તવ્ય છે. જે અન્ય સવાલથી મોટો છે, માટે મારો આગ્રહ છે કે તમે આ મામલે માનવીય દ્રષ્ટિકોણથી જુવો અને હસ્તક્ષેપ કરીને લોકોને આશ્વસ્ત કરો કે ઘર તૂટશે નહી અને તૂટશે તો એક યોજનાબદ્ધ રીતે તમને વસાવવા માટે તૂટશે.
મહત્વપૂર્ણ છે કે હલદાનીમાં રેલ્વેની જમીન પર કથિત અતિક્રમણ હટાવવા માટે 4 હજારથી વધુ ઘરોને તોડવાનો આદેશ હાઇકોર્ટે આપ્યો છે. રેલ્વેના એક્શન માટે ગયા પહેલા સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. તે લોકો પોતાના પુનર્વાસની પણ માંગ કરી રહ્યા છે અને સરકાર સાથે ભેદભાવ ના કરવાની અપીલ પણ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં પણ આ ઘટના પહોચી ગઇ છે. સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્યના નેતૃત્વમાં હાઇકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે.
Advertisement