અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ એસ કારેલ (Justice Nikjil s Kariel)ને પટણા હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાના નિર્ણયનો વકીલોએ વિરોધ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન (GHCAA)એ સુપ્રીમ કોર્ટના કૉલેજિયમના નિર્ણય વિરૂદ્ધ અનિશ્ચિતકાળ સુધી હડતાળ કરવાનો નિર્ણય કર્યો હતો. બારનું કહેવુ છે કે તેનાથી ન્યાયપાલિકાની સ્વતંત્રતા ખતમ થશે.
Advertisement
Advertisement
હાઇકોર્ટમાં સુનાવણી ચાલતી હતી ત્યારે કોર્ટ રૂમમાં અચાનક 300 કરતા વધારે વકીલ ભેગા થયા હતા. આ જોઇને ચીફ જસ્ટિસે પૂછ્યુ કે, અચાનક વકીલો કેમ ભેગા થઇ ગયા? એક સીનિયર વકીલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારને કહ્યુ કે, અમે અહી ન્યાયતંત્રની સ્વતંત્રતાના મૃત્યુ પર શોક વ્યક્ત કરવા આવ્યા છીએ.
જસ્ટિસ આશુતોષ જે. શાસ્ત્રી સાથે બેઠેલા મુખ્ય ન્યાયાધીશે પૂછ્યુ, શું થયું? વકીલોએ જણાવ્યુ કે, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા જસ્ટિસ નિખિલ કારેલની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે. અમે અહી બે મીનિટનું મૌન પાળવા આવ્યા છીએ. વકીલોએ બે મીનિટનું મૌન પાળવાની પરવાનગી માંગી હતી. ચીફ જસ્ટિસે કહ્યુ કે, મને આ બાબતે કોઇ જાણ નથી.
ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ નિખિલ કારેલની પટણા હાઇકોર્ટમાં બદલીના વિરોધમાં હાઇકોર્ટ બાર હોલ ખાતે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા અસાધારણ સભામાં 2 દિવસ હાઇકોર્ટની કાર્યવાહીથી દૂર રહેવાનો ઠરાવ સર્વાનુમતે પ્રસાર કરવામાં આવ્યો છે.
કોણ છે જસ્ટિસ નિખિલ કારેલ?
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિખિલ કારેલનો જન્મ 9 મે, 1974માં થયો હતો, તેમણે વર્ષ 1998માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે એડવોકેટ તરીકે નોંધણી કરી હતી અને સર્વિસ લો, સિવિલ અને ફોજદારી કાયદામાં પ્રેક્ટિસ કરી હતી. 4 ઓક્ટોબર, 2020ના રોજ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ તરીકે પદભાર સંભાળ્યો હતો.
Advertisement