-
લગ્નમાં વધુમાં વધુ 100 વ્યક્તિઓ જ હાજર રહી શકશે Gujarat Government Marriage Guideline
અમદાવાદ: ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. આ કોરોના સામે લડવા માટે ગુજરાત સરકારે એક પછી એક પગલાં ભરવાના શરૂ કરી દીધાં છે. તેના ભાગરુપે જ રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકારના મહત્વ પૂર્ણ નિર્ણયો કર્યા છે. જેમાં કરફ્યુ દરમિયાન લગ્ન/સત્કાર સમારોહની ઉજવણી પર પ્રતિબંધ મૂકયો છે. આ નિર્ણયોનો અમલ સમગ્ર રાજયમાં આવતીકાલ મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે. Gujarat Government Marriage Guideline
ગુજરાતમાં કોરોનાના કેસોએ માઝા મૂકી છે. આ કેસોને નિયંત્રણમાં રાખવા માટે માસ્ક એ માત્ર ઇલાજ છે છતાં પણ કેટલાંક લોકો માસ્ક વગર ફરવાથી લઇને સોશિયલ ડીસ્ટન્સીંગનો ખુલ્લેઆંમ ભંગ કરી રહ્યાં છે. જેના કારણે જ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. તેને ડામવા અને કાબૂમાં રાખવા માટે સરકાર તરફથી અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી કરફયુ લાદવામાં આવ્યો હતો. તેની સાથોસાથ અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં રાત્રિ કરફયુ લાદી દેવામાં આવ્યો છે. તેની સાથોસાથ આ શહેરોમાં કરફ્યુ સમય દરમિયાન લગ્ન/સત્કાર કે અન્ય સમારોહ ની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયોનો અમલ સમગ્ર રાજ્યમાં આવતીકાલ મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે. Gujarat Government Marriage Guideline
આ પણ વાંચો: અમદાવાદ સિવિલમાં 50 ટકા બેડ ખાલી હોવાનો સુપરિન્ટેન્ડેન્ટનો દાવો, ખાનગીમાં 94% ભરાઇ ગયા
આ ઉપરાંત લગ્ન/સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા પરંતુ વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે. એટલે કે 200 વ્યક્તિઓ હાજર રહી શકશે તે નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો છે. તે જ રીતે મૃત્યુના કિસ્સામાં અંતિમ વિધિ/ધાર્મિક વિધિમાં મહત્તમ 50 વ્યક્તિઓની મર્યાદા રાખવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. Gujarat Government Marriage Guideline
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર સહિતના રાજયભરમાં જાણે કે કોરોના પૂર્ણ થઇ ગયો હોય તે રીતે લોકો દ્રારા વર્તન કરવામાં આવ્યું હતું. ત્યાં સુધી કે સોશિયલ ડિસ્ટન્સીંગ તથા માસ્ક વગર લોકો ફરવા લાગ્યા હતા. બીજી તરફ તંત્ર દ્રારા પણ રાજયના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે પ્રજાની માંગણીને ધ્યાનમાં લઇને થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી હતી. પરિણામે કોરોનાના કેસોમાં એકદમ ઉછાળો આવ્યો હતો. જેના કારણે સરકાર તરફથી અપાયેલી છૂટછાટમાં કાપ મૂકવાની શરૂઆત કરી દીધી છે.