ગાંધીનગર: ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપના પાંચ મંત્રીઓની એક ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમનું કામ રાજ્યમાં વિરોધ પ્રદર્શન અને આંદોલન રોકવા માટે લોકોના મુદ્દા પર સંજ્ઞાન લેવાનું હતું. જોકે, વિરોધને ભડકાવનારા મુદ્દાઓને ઝડપથી ઉકેલ માટે રચાયેલી પાંચ મંત્રીઓની આ સમિતી રાજ્યમાં વિરોધને રોકવામાં નિષ્ફળ રહી છે.
Advertisement
Advertisement
ગુજરાતમાં ઓછામાં ઓછા 17 વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે, જેને કારણે ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકાર પર દબાણ વધી રહ્યુ છે. સૂત્રોનું કહેવુ છે કે પીએમ નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ભાજપ કાર્યાલયમાં યોજાયેલી બેઠકમાં તમામ આંદોલનોને સમાપ્ત કરવાની સમય સીમા સપ્ટેમ્બર સુધી આપી હતી.
27 સપ્ટેમ્બરથી અનિશ્ચિતકાળ હડતાળ
વર્તમાનમાં વિવિધ મુદ્દા માટે વિરોધ કરનારા શિક્ષક, ક્લાસ-4ના સરકારી કર્મચારી, સ્વાસ્થ્ય કાર્યકર્તા, ખેડૂત, લોક રક્ષક દળ (LRD) ભરતીના ઉમેદવાર, ડ્યૂટી પર માર્યા ગયેલા સરકારી કર્મચારીઓના પરિવારજનો, વન રક્ષક, મધ્યાહન ભોજન કર્મચારી, સચિવાલયના ક્લાર્ક અને ગ્રામ્ય કોમ્પ્યુટર સાહસિકો છે. જૂની પેન્શન યોજના (OPS)ને લાગુ કરવાની માંગને લઇને હજારો પૂર્વ અને વર્તમાન રાજ્ય સરકારના કર્મચારી રાજ્યમાં પેન-ડાઉનના વિરોધમાં સામેલ થયા હતા, તેમણે 27 સપ્ટેમ્બરથી અનિશ્ચિતકાલીન હડતાળની પણ જાહેરાત કરી હતી.
સરકારે 2005 પહેલા સેવામાં સામેલ થનારા કર્મચારીઓ માટે ઓપીએસ પર સહમતિ વ્યક્ત કરી હતી પરંતુ પ્રસ્તાવને નેશનલ ઓલ્ડ પેન્શન રેસ્ટોરેશન યૂનાઇટેડ ફ્રંટે ફગાવી દીધો હતો. વર્ગ-4ના કર્મચારીઓ પાસે OPS, કરાર આધારિત ભરતી, પગાર-ગ્રેડ સમાનતા, આરોગ્ય વીમો, ભવિષ્ય નિધિ સહિતની માંગણીઓનું 14-પોઇન્ટ ચાર્ટર છે.
તાજેતરમાં ચૌધરી સમાજે મહેસાણા દૂધ સાગર ડેરીના અધ્યક્ષના રૂપમાં તેમના કાર્યકાળ દરમિયાન 750 કરોડ રૂપિયાની હેરાફેરીના આરોપમાં ફસાયેલા નેતા વિપુલ ચૌધરીની ધરપકડ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ હતુ. ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ કેન્દ્ર સરકારની ભારત માલા પરિયોજના વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય કિસાન સંઘ ઇચ્છે છે કે રાજ્ય સરકાર ખેડૂતો માટે એક સમાન વિજળી દરોની જાહેરાત કરે. જોકે, કેટલાક ખેડૂતોએ પોતાનો વિરોધ પરત ખેચી લીધો છે.
Advertisement