ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તમામ દળ પોતાની રણનીતિ તૈયાર કરવામાં લાગેલા છે. ચૂંટણી પ્રચાર પણ ઝડપી થઇ ગયો છે. સત્તા પર રહેલી ભાજપ પણ ચૂંટણી પ્રચારમાં પોતાના નેતાઓની ફૌજ ઉતારવા જઇ રહી છે. પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપે પ્રચારની ખાસ રણનીતિ તૈયાર કરી છે.
Advertisement
Advertisement
બે ડઝનથી વધારે નેતા કરશે પ્રચાર
ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કા માટે 89 બેઠકો પર મતદાન થવાનું છે. જેમાંથી 82 બેઠક પર ભાજપના લગભગ 29 નેતા ચૂંટણી પ્રચાર કરશે. પ્રચાર માટે 6 કેન્દ્રીય મંત્રી અને ત્રણ મુખ્યમંત્રીને પણ ઉતારવામાં આવશે.
ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે કહ્યુ કે આજથી પ્રચારનો સીલસીલો શરૂ થઇ જશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, 6 કેન્દ્રીય મંત્રી, 3 રાજ્યના મુખ્યમંત્રી, બે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહિત 15 રાષ્ટ્રીય સંગઠનના નેતા અને મંત્રી ચૂંટણી પ્રચાર કરશે. આ સિવાય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પ્રચાર કરશે.
નવસારીમાં જનસભા કરશે જેપી નડ્ડા
જેપી નડ્ડા શુક્રવારે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક, નવસારીમાં જનસભાને સંબોધિત કરશે. જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સૂરત, ભરૂચ અને ઓલપાડ બેઠક પર જનસભાને સંબોધિત કરશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર ધ્રાંગધ્રા અને દસાડા, ભાવનગર જ્યારે સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર માંગરોળ,માંડવી, બારડોલી અને સૂરત પશ્ચિમ બેઠક પર રેલી કરશે.
યોગી આદિત્યનાથ પણ ત્રણ રેલી કરશે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વાંકાનેર, મોરબી જિલ્લામાં ત્રણ જનસભાને સંબોધિત કરશે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા કચ્છ જિલ્લાની અંજાર, ગાંધીધામ અને સૂરતની કામરેજ બેઠક પર રેલીને સંબોધિત કરશે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ માંડવી, અભડાસા, મોરબી અને ભાવનગર પશ્ચિમ બેઠક પર ભાજપ માટે પ્રચાર કરશે.
મહારાષ્ટ્રના નાયમ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાવનગરની મહુવા, તલાલા, ગારિયાધાર અને સૂરતની લિંબાયત બેઠક પર પ્રચાર કરશે. જ્યારે યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક ગિર સોમનાથ જિલ્લાની તાલાલા, જૂનાગઢની કેશોદ અને જૂનાગઢમાં પ્રચાર કરશે.
Advertisement