ગુજરાત પોલીસના સેવાનિવૃત આઈપીએસ અધિકારી ડીજી વંજારાએ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવા માટે પ્રજા વિજય પક્ષ પાર્ટી બનાવી છે.
Advertisement
Advertisement
પાર્ટી મહાસચિવ સામંત સિંહ ચૌહાણ અનુસાર, પ્રજા વિજય પક્ષ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બધી 182 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે.
ડીજી વંજારા 1987 બેન્ચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. ગુજરાત પોલીસમાં તેમની છબિ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટની રહી છે.
તેઓ પહેલા ક્રાઈમ બ્રાન્ચમાં હતા અને પાછળથી ગુજરાત એટીએસ એટલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના વડા રહ્યાં. જે બાદ તેઓ પાકિસ્તાન સરહદને અડીને આવેલી બોર્ડર રેન્જના આઈજી રહ્યાં હતા.
તેઓ 2002થી 2005 સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડિપ્ટી કમિશ્નર ઓફ પોલીસ હતા. તેમની આ પોસ્ટિંગ દરમિયાન લગભગ વીસ લોકોનું એન્કાઉન્ટર થયું. તે પછી સીબીઆઈ તપાસમાં સામે આવ્યું કે, આ એકાઉન્ટર ફેક હતા. કહેવામાં આવે છે કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી નજીકના પોલીસ અધિકારી હતા.
ફેક એકાઉન્ટ કેસમાં તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં લગભગ 8 વર્ષ અને મુંબઈની જેલમાં એક વર્ષ રહેવું પડ્યું.
ગુજરાત સરકારને વંજારાને જેલની અંદરથી જ 2013માં પોતાનું રાજીનામું મોકલ્યું હતુ,જેને સરકારે નામંજૂર કરી દીધો.
વંજારાએ 10 પેજના રાજીનામામાં મોદી અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ પર પોલીસ તંત્રના દુરપયોગનો આરોપ લગાવ્યો હતો.
રાજીનામામાં વંજારાએ લખ્યું કે, તેથી હું એકદમ સાફ અને સ્પષ્ટ શબ્દોમાં કહેવા ઇચ્છું છું કે 2002થી 2007 વચ્ચે ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ અને બોર્ડર રેન્જે તેવું કર્યું જે આ સરકારની નીતિ હતી. અમે લોકો તો ફિલ્ડ ઓફિસર હોવાના કારણે માત્ર તે નીતિને અંજામ આપી રહ્યાં હતા.
Advertisement