ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 71 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 27 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,455 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.72 ટકાએ પહોંચી ચુક્યો છે.
ગુજરાતમાં હાલ 524 એક્ટિવ કેસ છે જેમાંથી 08 નાગરિકો વેન્ટિલેટર પર છે અને 516 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,17,455 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10098 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે કોરોનાને કારણે આજે એક પણ વ્યક્તિનું મોત નથી થયું.
રાજયમાં કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, જામનગર કોર્પોરેશનમાં 15, વડોદરા કોર્પોરેશનમાં 13, અમદાવાદ કોર્પોરેશનમાં 10, કચ્છ-નવસારીમાં 4-4, મહેસાણા રાજકોટ કોર્પોરેશનમાં 3-3, દેવભુમી દ્વારકા- વલસાડમાં 2-2 અને આણંદ, ગાંધીનગર કોર્પોરેશન, વડોદરા અને અમદાવાદમાં 1-1 કેસ નોંધાયા હતા.