ગાંધીનગર: ગુજરાતમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને કોંગ્રેસ પાર્ટીને આશા છે કે આવનારી ચૂંટણીમાં તે ભાજપને સત્તામાંથી ઉખાડી ફેકશે. કોંગ્રેસનું માનવુ છે કે ઘરે ઘરે જઇને પ્રચાર અને બૂથ મેનેજમેન્ટમાંથી પાર્ટીની સફળતા મળશે. આ સાથે જ કોંગ્રેસે AIMIM અને આમ આદમી પાર્ટી પર આરોપ લગાવતા કહ્યુ કે બન્ને દળ ભાજપની બી ટીમના રૂપમાં કામ કરી રહી છે.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટી અને AIMIMને ભાજપની બી ટીમ ગણાવતા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યુ, આપ અને AIMIM ભાજપની બી ટીમ છે, તેમની પાસે જમીન પર કેડર નથી. કોઇ બ્લોક કે જિલ્લા અધ્યક્ષ નથી. બૂથ સ્તરના કાર્યકર્તા નથી, તેમણે રેલીમાં આવનારાઓને પૈસા આપ્યા છે. બન્ને પાર્ટીનો અર્થ કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરવાનો છે.
જગદીશ ઠાકોરે એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યુ કે ભાજપ વિરૂદ્ધ લોકોમાં ગુસ્સો છે અને આ કારણે તેમણે ગૌરવ વિકાસ યાત્રાને પણ ઓછી કરવી પડી, તેમણે કહ્યુ, એક ધારણા બનાવવામાં આવી રહી હતી કે કોંગ્રેસ ગુજરાત ચૂંટણીના દ્રશ્યમાં નહતી. હું માત્ર એટલુ કહેવા માંગીશ કે પરિણામ આવવા સુધી રાહ જુવો, અમે 125થી વધારે (182માંથી) બેઠક જીતીશુ અને સરકાર બનાવીશુ.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તે ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો હતો, તેમાં તેમણે ભાજપ કાર્યકર્તાઓને કોંગ્રેસના કાર્યકર્તાઓથી સાવચેત રહેવાની સલાહ આપી હતી. જગદીશ ઠાકોરે કહ્યુ, અમારી રણનીતિ યોગ્ય બૂથ મેનેજમેન્ટ અને ઘરે ઘરે પ્રચાર કરવાનો છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા શરૂ કરવાના બે દિવસ પહેલા 5 સપ્ટેમ્બરે બૂથ સ્તરના કાર્યકર્તાઓને મળી ચુક્યા છે, અમારી પાસે ડેટા છે, અમે વર્ષોમાં પ્રથમ વખત આ સ્તર પર બૂથ સ્તરનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં AIMIM 40થી 45 બેઠક પર ચૂંટણી લડી શકે છે. પાર્ટીનું ફોકસ દલિત અને મુસ્લિમ વોટો પર છે.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે કહ્યુ, “પાર્ટી 28 અને 30 ઓક્ટોબરે રાજ્યના આદિવાસી વિસ્તારમાં પાંચ આદિવાસી સમ્મેલનનું આયોજન કરી રહી છે, તેમાંથી કેટલાક કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અને પાર્ટીના સીનિયર સુપરવાઇઝર અશોક ગહેલોત ભાગ લેશે. 31 ઓક્ટોબરે ઇન્દિરા ગાંધીની પૃણ્યતિથિ અને સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિના પ્રસંગે પાંચ રેલીનું આયોજન કરવા જઇ રહ્યા છે. રાજ્ય એકમે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બન્નેમાંથી ગુજરાતમાં પ્રચાર કરવાનો અનુરોધ કર્યો છે.
Advertisement