ગાંધીનગર: ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પહેલા વધુ સાત બેઠકો પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીમાંથી ફરી કોંગ્રેસમાં આવેલા ઇન્દ્રનીલ રાજગુરૂને રાજકોટ પૂર્વ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસે રાપર, વઢવાણ, રાજકોટ પૂર્વ, ધારી, નાંદોડ (એસટી), નવસારી, ગણદેવી (એસટી) બેઠક પર ઉમેદવારોની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
ગુજરાત કોંગ્રેસે સાત બેઠક પર ટિકિટ જાહેર કરકી
ગુજરાત કોંગ્રેસે રાપરમાં બચુભાઇ અરેઠિયાને ટિકિટ આપી છે જ્યારે વઢવાણ બેઠક પર તરૂણ ગઢવી, રાજકોટ પૂર્વ બેઠક પર ઇન્દ્રનીલ રાજગુરૂ, ધારી બેઠક પર ડૉ. કીર્તિ બોરિસાગર, નાંદોડ (એસટી) બેઠક પર હરેશ વસાવા, નવસારી બેઠક પર દીપક બારોથ, ગણદેવી (એસટી) બેઠક પર શંકર પટેલની જગ્યાએ અશોક ભાઇ લલ્લુભાઇ પટેલને ટિકિટ આપી છે.
કોંગ્રેસે 96 બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા
ગુજરાત કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની 182 બેઠક પરથી અત્યાર સુધી 96 બેઠક પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા. જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કર્યા હતા.
ગુજરાતમાં બે તબક્કામાં યોજાશે મતદાન
ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છની 89 બેઠક તેમજ 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની 93 બેઠક પર મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
Advertisement