ગાંધીનગર: PFI કેસમાં ગુજરાતમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પૉપુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા (PFI)ના ઠેકાણા પર તપાસ એજન્સીઓએ રેડ કરી છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ, કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રમાં રાજ્ય પોલીસ PFIના ઠેકાણા પર રેડ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી 170 લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. કેન્દ્રીય એજન્સીઓને જાણકારી મળી હતી કે પહેલા થયેલી રેડના વિરોધમાં PFI હિંસક પ્રદર્શનની યોજના બનાવી રહ્યુ છે.
Advertisement
Advertisement
ગુજરાત ATS દ્વારા અમદાવાદ, ,સુરત, નવસારી અને બનાસકાંઠામાંથી કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ આ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં PFI સક્રિય નથી પણ તેમની રાજકીય પાર્ટી એસડીપીઆઇ સક્રિય છે, જે 15 લોકોની અટકાયત કરવામાં આવી છે તેમના તાર વિદેશમાં બેઠેલા લોકો સાથે હોવાનું સામે આવ્યુ છે. કેરળમાં PFIની જે પરેડ હતી તેમાં આ લોકો સામેલ થયા હોવાનું જાણવા મળ્યુ છે.
નવસારીમાંથી પણ બે લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમણે સુરત SOG ખાતે લઇ જવામાં આવ્યા છે. બે યુવક PFI સાથે જોડાયેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.
શું છે PFI?
PFI એક કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન છે અને આ ખુદને પછાત અને લઘુમતીઓના હકમાં અવાજ ઉઠાવનારૂ સંગઠન ગણાવે છે. આ સંગઠન પ્રથમ વખત 22 નવેમ્બર, 2006માં કેરળમાં નેશનલ ડેવલપમેન્ટ ફ્રંટ (NDF)ના મુખ્ય સંગઠનના રૂપમાં અસ્તિત્વમાં આવ્યુ હતુ. આ દરમિયાન સંગઠન દિલ્હીના રામલીલા મેદાનમાં નેશનલ પૉલિટિકલ કોંફ્રેસ આયોજિત કરીને ચર્ચામાં આવ્યુ હતુ. છેલ્લા કેટલાક દિવસોમાંદેશમાં કેટલીક સાંપ્રદાયિક હિંસામાં તેનું નામ આવી ચુક્યુ છે.
લાંબા સમયથી PFI પર પ્રતિબંધ મુકવાની થઇ રહી છે માંગ
કટ્ટરપંથી ગતિવિધિમાં સામેલ થવાનું કારણ ઘણા સમયથી PFI પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ આ વિચાર કરી રહ્યુ છે અને ગુરૂવારે પણ ગૃહ મંત્રી અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ સહિત અન્ય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. સત્તા પર રહેલી ભાજપે પણ PFI પર હિન્દૂ સંગઠનો સાથે જોડાયેલા કાર્યકર્તાઓની હત્યાનો આરોપ લગાવી ચુકી છે.
Advertisement