ગુજરાતમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 પહેલા તમામ પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ચૂંટણી જીતાડે તેવી એક પણ શક્યતાઓને તેઓ નકારી રહ્યાં નથી. તેવામાં ગુજરાતમાં કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન કરવા માટે બંને પાર્ટીઓના નેતાઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં દેવગઢ બારીયા, ઉમરેઠ,અને નરોડા બેઠક પર ચર્ચા કરી હતી. બીજી બાજુ રેશમા પટેલને પાર્ટીએ મેન્ડેટ આપ્યો નહતો. આ દરમિયાન માહિતી સામે આવી રહી છે કે, કુતિયાણા બેઠક પર NCP ચૂંટણી લડશે નહીં.
Advertisement
Advertisement
જગદીશ ઠાકોરે ગઠબંધન અંગેની જાણકારી આપતા જણાવ્યું હતુ કે, “ગુજરાતમાં એનસીપી કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. બન્ને પાર્ટીઓ ત્રણ બેઠક પર સાથે મળીને ચૂંટણી લડશે. જેમાં ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયાનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, ફાંસીવાદી પરિબળો સામે સમાન વિચારધારા વાળા લોકો એકઠા થઇ રહ્યાં છે.”
એનસીપી નેતા જયંત બોસ્કીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા પછી જણાવ્યું હતુ કે, “ધોની સ્ટાઇલમાં બેટીંગ કરી રહેલા જગદીશ ભાઇને અમારો ટેકો છે. તે ઉપરાંત તેમને કહ્યું કે, એનસીપીના શરદ પવાર, સોનિયા ગાંધી સાથે ખભેથી ખભો મિલાવી લડી રહ્યા છે. અમે ત્રણ બેઠકો સાથે મળીને લડી રહ્યા છીએ. તમામાં બેઠક એનસીપીના મેન્ડેટ પર લડાવવામાં આવશે. કાંધલ જાડેજાના નામ પર ચર્ચા ચાલી રહી છે, કોંગ્રેસ કહેશે તો આગળ વિચારીશું.”
તે ઉપરાંત બોસ્કીએ બળવાખોર નેતાઓને ધ્યાનમાં રાખીને સ્પષ્ટતા આપતા ચેતવણી આપી હતી કે, અમારો કોઇ ઉમેદવાર અપક્ષમાં ઉભો રહેશે તો અમારો ટેકો નહી હોય. કુતિયાણા બેઠક પર કોંગ્રેસ ગ્રિન સિગ્નલ આપશે તો અમે મેન્ડેન્ટ આપીશું. જો કોઇ અપક્ષ ઉમેદવારી કરશે તો તેને છ વર્ષ માટે પાર્ટી માટે સસ્પેન્ડ કરાશે. નિકુલ સિંહ તોમર કોંગ્રેસના કે એનસીપીના ચિન્હ પર પર ઇલેક્શન લડશે તે ચુંટણી પંચના નિયમો જોઇ નક્કી કરવામાં આવશે.
Advertisement