ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પ્રથમ વખત પાકિસ્તાનથી આવેલા 1032 હિન્દૂ શરણાર્થી આ ચૂંટણીમાં મતદાન કરશે. અમદાવાદના કલેક્ટરે તમામ શરણાર્થીઓને ગત 5 વર્ષમાં ભારતની નાગરિકતા આપી છે. વર્ષ 2016થી અમદાવાદના કલેક્ટરે પાકિસ્તાનથી આવેલા 1032 હિન્દૂઓના નાગરિકતા આપવાનું કામ ચાલુ રાખ્યુ છે. આ તમામ લોકો પાકિસ્તાનમાં થઇ રહેલા હિન્દૂઓ પર અત્યાચારને કારણે જીવ બચાવીને અહી આવી ગયા હતા.
Advertisement
Advertisement
2016 અને 2018ના ગેજેટ અનુસાર, અમદાવાદ, ગાંધીનગર અને ભૂજના કલેક્ટરને નાગરિકતા આપવાનો અધિકાર મળ્યો છે. કેન્દ્ર અને રાજ્યના ઇન્ટેલિજન્સ એજન્સીના તપાસ કર્યા બાદ કલેક્ટર હિન્દૂ, શિખ, ઇસાઇ અને પારસી લોકોને નાગરિકતા આપી શકે છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આપી હતી નાગરિકતા
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી આવેલા વધુ 40 રેફ્યૂઝીને અમદાવાદની કલેક્ટર ઓફિસમાં નાગરિકતા આપી હતી, તેમાંથી એક વ્યક્તિ જેનું નામ દિલીપ માહેશ્વરી (36 વર્ષ) છેએ કહ્યુ કે તે વર્ષ 1995થી જ વીઝા લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, તેમણે વર્ષ 2008માં ભારતના ટૂરિસ્ટ વીઝા મળ્યા હતા પરંતુ તે વીઝા એક્સપાયર થવાને કારણે તે પાકિસ્તાન પરત ફર્યા હતા. વર્ષ 2013માં તેમણે લાંબા સમય માટે વીઝા મળી ગયા અને ત્યારથી તે ગુજરાતમાં જ રહેતા હતા, હવે તેમણે નાગરિકતા મળી ગઇ છે.
2021માં મળી નાગરિકતા
વર્ષ 2021માં જ દિલીપને ભારતની નાગરિકતા મળી ગઇ હતી જ્યારે તેની પત્ની માયાને આ વર્ષે નાગરિકતા મળી છે. દિલીપે કહ્યુ કે ભાગલા સમયે તેમના દૂરના સબંધી ભારત પરત આવી ગયા હતા પરંતુ તેમનો પરિવાર ત્યા જ રહ્યો હતો. દિલીપે કહ્યુ કે તેમણે ઘણા પહેલા ભારતીય નાગરિક થવાનું મન બનાવી લીધુ હતુ. દિલીપ પાકિસ્તાનના મીઠી શહેરના રહેવાસી છે, તેમણે ત્યાની સિંધી મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. દિલીપે એમ પણ કહ્યુ કે તે આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરશે અને તેને લઇને તે ખુશ છે.
આ પણ વાંચો: મોરબી બ્રિજ દૂર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી, સરકારને નોટિસ ફટકારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાશે. આ ચૂંટણીના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી 152 બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 43 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી એક પણ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.
Advertisement