ગાંધીનગર: ગુજરાતની ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી 16 બેઠક એવી હતી જેની પર જીત-હારનું અંતર માત્ર 3 હજાર મત કરતા પણ ઓછુ હતુ. જેમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને ઉમેદવારોની સંભાવનાઓને પ્રભાવિત કર્યા હતા. જેમાંથી સાત બેઠક પર જીત-હારનું અંતર એક હજાર મત કરતા પણ ઓછુ રહ્યુ હતુ. આ 16 બેઠકમાંથી 10 પર ભાજપ, જ્યારે છ બેઠક પર કોંગ્રેસને જીત મળી હતી. વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મધુભાઇ રાવત કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઇ ચૌધરી સામે માત્ર 170 મતથી હારી ગયા હતા.
Advertisement
Advertisement
વર્ષ 2017ની ચૂંટણીમાં જીત-હારનું સૌથી ઓછુ અંતર વલસાડ જિલ્લાની કપરાડા બેઠક પર રહ્યુ હતુ, જ્યા કોંગ્રેસના ઉમેદવાક જીતુ ચૌધરીએ ભાજપના ઉમેદવાર મધુભાઇ રાવતને 170 મતના અંતરથી હરાવ્યા હતા. રાવતને 92,830 મત મળ્યા હતા જ્યારે જીતુ ચૌધરીને 93 હજાર મત મળ્યા હતા. જીતુ ચૌધરીએ 2020માં પક્ષ બદલી નાખ્યો હતો જે બાદ યોજાયેલી પેટા ચૂંટણીમાં તે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. આવતા મહિને યોજાનારી ચૂંટણીમાં પણ ભાજપે જીતુ ચૌધરીને જ ઉમેદવાર બનાવ્યા છે.
કેટલીક બેઠકમાં જોઇએ તો બહુજન સમાજ પાર્ટી (BSP) જેવા દળ અને અપક્ષ ઉમેદવારોને મોટી સંખ્યામાં મળેલા વોટે કોંગ્રેસનો ખેલ બગાડી નાખ્યો હતો.
મુસ્લિમ ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર જીત્યા હતા
આવી જ એક બેઠક પંચમહાલ જિલ્લાની ગોધરા બેઠક મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારની હતી. આ બેઠક પર ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજીએ કોંગ્રેસના પ્રવીણ સિંહ ચૌહાણને 258 મતથી હરાવ્યા હતા. પૂર્વ કોંગ્રેસી સીકે રાઉલજીને એક વખત ફરી ગોધરા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર નોટા અને બસપાને લગભગ 4 હજાર મત મળ્યા હતા. આ સિવાય બે અપક્ષ ઉમેદવારોને 20 હજાર કરતા થોડા વધારે મત મળ્યા હતા.
ભાજપના સીનિયર નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 2017માં ધોળકા બેઠક પરથી માત્ર 327 મતના અંતરથી જીતી ગયા હતા. કેટલાક લોકોનું માનવુ છે કે આ બેઠક પર બસપા, NCP અને બે અપક્ષ ઉમેદવારોને મળેલા લગભગ 11 હજાર મતે ભાજપની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો: શું હાર્દિકના રાજકીય કરિયરને ખત્મ કરવા વિરમગામની સીટ આપવામાં આવી? જૂઓ શું કહે છે સમીકરણ
અમિત ચૌધરીએ 2017માં પક્ષ બદલ્યો હતો
ગાંધીનગરની માણસા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુરેશ પટેલે ભાજપના યુવા નેતા અમિત ચૌધરીને 524 મતે હરાવ્યા હતા. અમિત ચૌધરીએ 2012માં કોંગ્રેસની ટિકિટ પર આ બેઠક પર જીત મેળવી હતી પરંતુ 2017ની ચૂંટણી પહેલા તે પક્ષ બદલીને ભાજપમાં સામેલ થઇ ગયા હતા.
સૌરભ પટેલને ના મળી ટિકિટ
અનૂસૂચિત જનજાતિ માટે અનામત ડાંગની એક અન્ય બેઠક હતી જ્યા ભાજપના ઉમેદવાર વિજય પટેલના માત્ર 768 મતથી કોંગ્રેસના મંગળ ગાવિતે હારનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ ઉર્જા મંત્રી અને બોટાદ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય સૌરભ પટેલ 2017ની ચૂંટણીમાં 906 મતના સામાન્ય અંતરથી જીતવામાં સફળ રહ્યા હતા, તેમણે 79,623 મત જ્યારે તેમના વિરોધી ડી.એમ.પટેલને 78,717 મત મળ્યા હતા. સૌરભ પટેલને આ વખતે પાર્ટીએ ટિકિટ આપી નથી.
ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠક પર બે તબક્કામાં મતદાન યોજાશે. 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન યોજાશે અને 8 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
Advertisement