બીજેપીએ પોતાના ઉમેદવાર જાહેર કરતાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને એક નવો જ ધમધમાટ શરૂ થઇ ગયો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ભાજપ તરફથી પોતાના 160 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ નવી રણનીતિ અપનાવીને અનેક નવા ચહેરાઓને તક આપી છે. જેથી ભાજપે વિધાનસભા ચૂંટણીમાં 25થી વધારે દિગ્ગજ નેતાઓની ટિકિટ કાંપી નાંખી છે.
Advertisement
Advertisement
ભાજપે 25 દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપીને ઘરે બેસાડી દીધા
રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણીનું પત્તુ કપાયું
રાજકોટ દક્ષિણથી ગોવિંદ પટેલનું પત્તુ કપાયું
બ્રિજેશ મોરજાને મોરબીથી ન મળી ટિકિટ
અંજારથી વાસણ આહિરની ટિકિટ કપાઈ
જામનગર ઉત્તરથી હકુભા જાડેજાની ટિકિટ કપાઈ
ગઢડાથી આત્મરામ પરમારની ટિકિટ કપાઈ
બોટાદથી સૌરભ પટેલનું પત્તુ કપાયું
નવસારીથી પિયુષ દેસાઈની ટિકિટ કપાઈ
નરોડાથી બલરાણ થાવાણીની ટિકિટ કપાઈ
નારણપુરાથી કૌશિક પટેલની ટિકિટ કપાઈ
મણિનગરથી સુરેશ પટેલની ટિકિટ કપાઈ
ડીસાથી શશિકાંત પંડ્યાની ટિકિટ કપાઈ
વઢવાણથી ધનજી પટેલનું પત્તુ કપાયું
વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ
નિમાબેન આચાર્યની ભુજ બેઠકથી ટિકિટ કપાઈ
ગાંધીનગર દક્ષિણથી શંભુજી ઠાકોરની ટિકિટ કપાઈ
વેજલપુરથી કિશોર ચૌહાણની ટિકિટ કપાઈ
એલિસબ્રિજથી રાકેશ શાહની ટિકિટ કપાઈ
જણાવી દઈએ કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150થી વધુ બેઠક જીતવાનો ટાર્ગેટ પૂરો કરવા માટે તડામાર તૈયારીઓના ભાગ રૂપે જ નવા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજેપીએ આ વખતે તમામ મોરચે તાકાત લગાવી દીધી છે.
Advertisement