સુરત: ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની અત્યાર સુધી જાહેરાત થઇ નથી. પરંતુ ચૂંટણીને આડે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે. તેવામાં ગુજરાતમાં રાજકીય પ્રવૃત્તિઓ વધી ગઈ છે. આ બાબતે સુરતમાં રાજ્ય કક્ષાના મંત્રીની મુશ્કેલી પ્રજાપતિ સમાજ દ્વારા વધારી દેવામાં આવી છે. પ્રજાપતિ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનુ મોરડિયાની જગ્યાએ તેમના સમાજના કોઈ પ્રતિનિધિને ટિકિટ આપવામાં આવે.
Advertisement
Advertisement
સુરતના કતાર ગામના વર્તમાન શહેરી વિકાસ મંત્રી અને ધારાસભ્ય વિનુ મોરડિયાની મુશ્કેલી વધતી હોય તેવું દેખાઇ રહ્યું છે. ચૂંટણીને જોતા પ્રજાપતિ સમાજ દ્વારા સુરતમાં એકતા યાત્રા યોજીને ભારતીય જનતા પાર્ટીને પોતાના સમાજને રાજકીય ભાગીદારી આપવાની અપીલ કરી છે. ઉલ્લેખનિય છે કે, પ્રજાપતિ સમાજ વર્ષોથી બીજેપીનો વિશ્વાસું રહ્યો છે. પરંતુ દુ:ખદ વાત તે છે કે, આ મધ્યમ વર્ગના લોકોનું જીવન ધોરણ અત્યાર સુધી સુધરી શક્યું નથી.
આ સમાજ માટે સ્પેશ્યલી રીતે સરકાર તરફથી કોઈ સારો નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું દેખાઇ રહ્યું નથી. આ ઓબીસી સમાજ મોટા ભાગે મજૂરી અને નાના-મોટા ધંધા કરીને જીવન ગુજાર કરે છે. તેવામાં ઘણા સમય પછી આ સમાજ દ્વારા રાજકીય ભાગીદારી માટેની માંગ કરી છે. જોકે, હવે પ્રજાપતિ સમાજનો બીજેપી અવાજ સાંભળે છે કે, વર્ષોથી નજર અંદાજ કરવામાં આવ્યો છે, તેવી રીતે જાકારો આપવામાં આવે છે.
જો સરકાર પ્રજાપતિ સમાજની વાત સાંભળે છે તો વિનુ મોરડીયાની મુશ્કેલી વધી શકે છે. જો પ્રજાપતિ સમાજની વાત સરકાર સાંભળતું નથી તો સમાજ શું નિર્ણય લેશે તે મહત્વપૂર્ણ બની રહેશે. વર્ષોથી બીજેપીનો સાથ ના છોડનાર પ્રજાપતિ સમાજને બીજેપી રાજકીય ભાગીદારી આપશે કે નહીં તે આગામી સમય જ બતાવશે.
અનામત બેઠકોમાં પ્રજાપતિ સમાજને અન્યાય ન થાય તે માટે માંગ કરી
ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિએ બે મહિના પહેલા જ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરીને ઓબીસી અનામત બેઠકોમાં પ્રજાપતિ સમાજને અન્યાય ન થાય તે માટે માંગ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પ્રજાપતિ સંઘ સમિતિ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના પ્રમુખ જાદવજી સતાપરા, મંત્રી તુલસીભાઇ જાંબુકીયા સહિત આગેવાનોએ કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ સ્થાનીક સ્વરાજની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો ઓબીસી અનામતને નવેસરથી નક્કી કરવા માટે રાજ્ય સરકારે જસ્ટીસ કે.એસ.ઝવેરી કમીશનની રચના કરી છે.
ગુજરાતમાં વસ્તીના ધોરણે પ્રજાપતિ સમાજ બીજા ત્રીજા નંબરની જ્ઞાતી છે જે વિવિધ અટકો અને પેટાગોળમાં વહેંચાયેલા છે. જેમાં 21 શાખાઓ અને 84 પેટા શાખા છે. જેઓ મોટાભાઇ માટીકામ અને કુંભારીકામથકી જીવનગુજારે છે. જે આર્થિક, રાજકીય, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે નબળો છે આથી સ્થાનીક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત નાબુદ કરવી એવી જાહેરાત થયેલી જેના અનુસંધાને સરકારે ઝવેરી કમીશનની રચના કરી છે જેમાં પ્રજાપતિ સમાજને અન્યાય ન થાય તે ધ્યાને લેવા માંગ કરી હતી.
Advertisement